આ રીતે કરો ભગવાન શિવની પૂજા, પરિવારમાં શાંતિ રહેશે અને થશે ધનલાભ!

|

May 13, 2022 | 11:37 PM

Lord Shiva worship tips : આ લેખમાં અમે તમને કેટલાક એવા ઉપાયો વિશે જણાવીશું, જેને અપનાવીને તમે મહાદેવને પ્રસન્ન કરી શકો છો. આ રીતે શિવની પૂજા કરવાથી તેમની કૃપા મેળવી શકાય છે. જાણો આ અસરકારક જ્યોતિષ ઉપાયો વિશે.

આ રીતે કરો ભગવાન શિવની પૂજા, પરિવારમાં શાંતિ રહેશે અને થશે ધનલાભ!
Lord-shiva-worship

Follow us on

શિવનો મતલબ જ કલ્યાણકારી. દેવોના દેવ મહાદેવ હંમેશા તેમના ભક્તોના કલ્યાણ માટે તેમની કૃપા વરસાવે છે. કહેવાય છે કે ભગવાન શિવને પ્રસન્ન ( Lord shiva worship tips )કરવા આસાન નથી, પરંતુ જો તેઓ એક વખત કોઈ પર પ્રસન્ન થઈ જાય તો તે વ્યક્તિ કે ભક્તનું જીવન સફળ થઈ જાય છે. ભોલેનાથની ભક્તિમાં તે શક્તિ છે, જેને અપનાવવાથી દરેક પ્રકારના કષ્ટોમાંથી મુક્તિ મળે છે. મોટાભાગના લોકો ભગવાન શિવની ભક્તિમાં લીન થઈને મોક્ષ અથવા મુક્તિ મેળવવાનો પ્રયાસ કરે છે. ભગવાન શિવ ( Lord shiva )ને ભક્તિ અને ઉપાસના ખૂબ જ પ્રિય છે. ભગવાન શિવની પૂજાનું વિશેષ મહત્વ જ્યોતિષમાં પણ જણાવવામાં આવ્યું છે. લોકો જ્યોતિષીય ઉપાયો અપનાવીને શિવને પ્રસન્ન કરે છે.

આ લેખમાં અમે તમને એવા જ કેટલાક ઉપાયો વિશે જણાવીશું, જેને અપનાવીને તમે મહાદેવને પ્રસન્ન કરી શકો છો. આ રીતે શિવની પૂજા કરવાથી તેમની કૃપા મેળવી શકાય છે. જાણો આ અસરકારક જ્યોતિષ ઉપાયો વિશે.

બિલી પત્રનો ગુચ્છો

ઘણી વખત લોકો માત્ર બીલીના પાન ચડાવીને ભગવાન શિવની પૂજા કરે છે, પરંતુ શું તમે જાણો છો બીલી પત્રનો ગુચ્છો પણ ભગવાનને પ્રિય છે.  પાન ચઢાવવાનો પણ નિયમ છે. શાસ્ત્રો અનુસાર ત્રણ પાનનો ગુચ્છો અર્પણ કરવો શુભ હોય છે. એવું માનવામાં આવે છે કે તેના મૂળ ભાગમાં ઇશ્વરનો વાસ છે. આ પાન માત્ર રવિવારે તોડવા જોઈએ, કારણ કે શિવજીને તેમને સોમવારે સવારે જ અર્પણ કરવા જોઈએ. બેલપત્ર ક્યારેય અશુદ્ધ થતી નથી. તમે તેને ધોઈને પણ અર્પણ કરી શકો છો.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

ગંગા જળ

ભગવાન શિવની સાથે હંમેશા રહેનાર ગંગા જળનો ભોલેનાથને પ્રસન્ન કરી શકે છે. એવું કહેવાય છે કે ભગવાન શિવે જે મોક્ષ ગંગાને પોતાના વાળમાં આશ્રય આપ્યો છે, તેનું શિવ પૂજનનું ઘણું મહત્વ છે. એવું માનવામાં આવે છે કે સોમવારે ભગવાન શિવને ગંગાજળ અર્પિત કરવાથી જીવન સંબંધિત તમામ દોષો દૂર થાય છે અને સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. ઘરના ઝઘડાઓને સમાપ્ત કરવા માટે સતત 5 સોમવાર સુધી શિવલિંગ પર ગંગાજળનો અભિષેક કરો.

મોસમી ફળ

ભગવાન શિવને દરરોજ જળ અર્પણ કરવા ઉપરાંત મોસમી ફળો ચડાવીને પણ પ્રસન્ન કરી શકાય છે. આ ફળ અર્પણ કરતી વખતે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ અવશ્ય કરો. આમ કરવાથી ઘરમાં પૈસાની ઉણપ દૂર થશે અને પરિવારના સભ્યો વચ્ચેના સંબંધો પણ સુધરશે.

(અહીં આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, આના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવ્યા છે.)

Next Article