
આખો દેશ ભગવાન રામના નામના નારાથી ગુંજી રહ્યો છે. સર્વત્ર રામ ભક્તોમાં આનંદ અને ઉલ્લાસનો માહોલ છે. આખો દેશ 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા સાથે ફરી એકવાર દિવાળી મનાવવા જઈ રહ્યો છે. આ શુભ અવસર પર ચાલો જાણીએ ભગવાન શ્રી રામ સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો.
દંતકથા અનુસાર ભગવાન રામને સંપૂર્ણ અવતાર માનવામાં આવતા નથી, કારણ કે ભગવાન શ્રી રામ 14 કલાઓમાં નિષ્ણાત હતા. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ 16 કલાઓના જાણકાર હતા. કારણ કે રાવણને વરદાન હતું કે તેમનું મૃત્યુ મનુષ્ય દ્વારા જ થશે. તેથી શ્રી રામને માત્ર 14 કળાઓનું જ્ઞાન હતું જેથી તે રાવણને મારી શકે.
સનાતન ધર્મમાં ભગવાન શ્રી રામને ભગવાન વિષ્ણુનો સાતમો અવતાર માનવામાં આવે છે. લોકોને ભગવાન શ્રી રામમાં અતૂટ શ્રદ્ધા છે. ધાર્મિક ગ્રંથો અનુસાર રામ નામનો અપાર મહિમા છે. તો આજે અમે તમને જણાવીશું કે કેવી રીતે ભગવાન શ્રી રામનું નામ રામ રાખવામાં આવ્યું.
આ પણ વાંચો પ્રાણ પ્રતિષ્ઠા સેરેમની માટે અયોધ્યા જશે 75 વર્ષની હેમા માલિની, કરશે રામાયણ પર પરફોર્મન્સ