
માણસના મૃત્યુ પછી શું થાય છે? તેની આત્મા તરત જ મોક્ષ પામે છે કે ભટકતી રહે છે? હિન્દુ ધર્મગ્રંથ ગરુડ પુરાણ મુજબ આ પ્રશ્નનો ઊંડો જવાબ મળે છે. ગરુડ પુરાણનું માનવું છે કે મૃત્યુ પછી આત્મા તુરંત પરલોકમાં નહીં જાય, પણ પૃથ્વી પર 13 દિવસ સુધી રહે છે. આ દરમિયાન તે ઘરના લોકો, સ્મૃતિઓ સાથે જોડાયેલી રહે છે, પોતાનું શરીર છોડ્યા પછી આત્મા ખુબ દુખી હોય છે. 3 દિવસ તે ખુબ પીડા અનુભવે છે. 13 દિવસ અલગ અલગ વીધી દ્વારા આત્માનું પીંડ દાન થાય છે.
“મરણ પછી વ્યક્તિની આત્મા પૃથ્વી પર રહી જાય છે. તે 13 દિવસ સુધી આ લોક અને પરલોક વચ્ચેના સંક્રમણમાં રહે છે.”
પોતાના શરીરથી છૂટા પડવાના દુઃખમાંથી પસાર થાય છે
ઘરના લોકો અને સંબંધીઓની સાથે સંવેદનાત્મક રીતે જોડાયેલી રહે છે
પોતાના કર્મોના આધારે આગળની યાત્રાની તૈયારી કરે છે
આત્મા સંશયની અવસ્થામાં રહે છે. તેને સમજાતું નથી કે તેનું મૃત્યુ થયું છે કે નહિ.
આવાં દિવસોમાં પિંડદાન અને શ્રાદ્ધ દ્વારા આત્માને પરલોક માટે ‘શરીર’ તૈયાર કરવામાં આવે છે. તેને યમદૂતો તરફથી માર્ગદર્શન મળે છે.
આ અંતિમ તબક્કામાં આત્માને યમલોક તરફ રવાના કરવામાં આવે છે. યમરાજના દૂત તેને લઈને ધર્મના દરબાર તરફ આગળ વધે છે.
આ જ દિવસોમાં આત્મા ઘરની આસપાસ ભટકે છે, તેથી તેના માટે પિતૃકર્મ કરવું અનિવાર્ય છે
પિંડદાનથી આત્માને એક નવું યાત્રાશરીર મળે છે, જે યમલોક સુધી તેની સફર માટે જરૂરી હોય છે
આ જ સમયમાં તેના કર્મોનું મૂલ્યાંકન થવાનું શરૂ થાય છે
ધર્મગુરુઓનું કહેવું છે કે મૃત્યુ પછીની યાત્રા સરળ બને તે માટે પવિત્ર મનથી શ્રાદ્ધ-ક્રિયા, દાન અને તર્પણ કરવું જોઈએ. જો આ સાધન વિધિવત્ ન કરવામાં આવે તો આત્મા ભટકતી રહે છે અને પિતૃદોષ પેદા થાય છે.