17 JUNE PANCHANG : આજની રાશિ કઇ છે ? 17 જૂન, શનિવારના પંચાંગની મેળવો સંપૂર્ણ જાણકારી !

હિન્દુ માન્યતા અને પંચાંગ અનુસાર રાહુકાળ (rahu kaal) તે એ કાળ છે કે જે સમય દરમિયાન કોઈપણ પ્રકારનું શુભ કાર્ય કરવામાં નથી આવતું. માન્યતા અનુસાર આ રાહુકાળ દરમિયાન કરેલું કાર્ય શુભ પરિણામ પણ નથી આપતું.

17 JUNE PANCHANG : આજની રાશિ કઇ છે ? 17 જૂન, શનિવારના પંચાંગની મેળવો સંપૂર્ણ જાણકારી !
What tithi and zodiac today Get complete details of Saturday's Panchang June 17
| Edited By: | Updated on: Jun 17, 2023 | 6:30 AM

આજે 17 જૂન, 2023 શનિવારનો દિવસ છે. પણ, હિન્દુ સંસ્કૃતિમાં તિથિ, વાર, નક્ષત્ર જોઈને કાર્ય કરવાની પ્રણાલી રહી છે. જેની માહિતી આપણને પંચાંગના માધ્યમથી પ્રાપ્ત થતી હોય છે. સનાતન ધર્મમાં આ પંચાંગનું ખૂબ જ મહત્વ છે. આપણાં રોજીંદા કાર્યોમાં પણ આ પંચાંગ ખૂબ જ મદદરૂપ સાબિત થઈ શકે છે. કારણ કે, તેના પરથી એ જાણવા મળે છે કે આજે કયા સમયે કરેલું કામ આપણને શુભ પરિણામ આપી શકશે. અને કયા સમયે કાર્ય કરવાથી બચવું જોઈએ. ત્યારે આ પંચાંગ પરથી જ જાણીએ કે તિથિના આધારે આજના દિવસનું શું મહત્વ છે !

આ પણ વાંચો : 16 JUNE PANCHANG : આજે રાહુકાળ ક્યારે છે ? 16 જૂન, શુક્રવારના પંચાગની મેળવો સંપૂર્ણ જાણકારી !

ગુજરાતી પંચાંગ

તિથિ, વાર, નક્ષત્ર, યોગ અને કરણ એ દૈનિક પંચાંગના મુખ્ય પાંચ અંગ મનાય છે. ત્યારે તે અનુસાર જ આજના દિવસની વિગતો મેળવીએ.

તિથિ:- ગુજરાતી પંચાંગ અનુસાર આજે વિ. સં. 2079ની જેઠ માસના કૃષ્ણ પક્ષની ચૌદસ તિથિ છે. જે સવારે 09:11 AM સુધી રહેશે. ત્યારબાદ ચૌદસ તિથિનો પ્રારંભ થશે.

વાર:- શનિવાર
યોગ:- શૂળ
કરણ:- શકુનિ 09:11 સુધી
નક્ષત્ર:- રોહિણી 04:25 PM સુધી

સૂર્યોદય અને સૂર્યાસ્તનો સમય

સૂર્યોદય:- 05:54 કલાકે
સૂર્યાસ્ત:- 07:27 કલાકે

આજની રાશિ

આજની ચંદ્ર રાશિ છે વૃષભ રાશિ, 5:13 AM સુધી પછી મિથુન રાશિ

અભિજીત મુહૂર્ત

કોઈપણ કાર્ય કરવા માટે અભિજીત મુહૂર્ત એ અત્યંત શ્રેષ્ઠ મુહૂર્ત મનાય છે. આજે 17 જૂન, શનિવારના રોજનું અભિજીત મુહૂર્ત બપોરે 12:13 થી 01:08 સુધી પ્રાપ્ત થઈ રહ્યું છે. માન્યતા અનુસાર આ અભિજીત મુહૂર્તમાં કરવામાં આવનાર કાર્યમાં જરૂરથી સફળતા મળે છે.

રાહુ કાળ

હિન્દુ માન્યતા અને પંચાંગ અનુસાર રાહુકાળ તે એ કાળ છે કે જે સમય દરમિયાન કોઈપણ પ્રકારનું શુભ કાર્ય કરવામાં નથી આવતું. માન્યતા અનુસાર આ રાહુકાળ દરમિયાન કરેલું કાર્ય શુભ પરિણામ પણ નથી આપતું. આજે રાહુ કાળ 09:17 AM થી 10:59 AM સુધી રહેશે. એટલે આ સમય દરમિયાન કોઈપણ શુભ કે માંગલિક કાર્ય કરવાનું ટાળવું જોઈએ.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)