
Vastu Tips: વાસ્તુશાસ્ત્રમાં ઉર્જાનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. આ પ્રમાણે આપણા ઘરમાં રાખવામાં આવેલી દરેક વસ્તુનો આપણા જીવન પર ચોક્કસ પ્રભાવ પડે છે. ઘણી વખત સફળતા મેળવવા આપણે ખુબ મહેનત કરવી પડે છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર, તમે કેટલાક વાસ્તુ ઉપાયો અપનાવીને તમારા સુતેલા નસીબને જાગૃત કરી શકો છો. વાસ્તુ અનુસાર જો સૂતી વખતે તકિયા નીચે કેટલીક વસ્તુઓ રાખવામાં આવે તો તેનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. ચાલો જાણીએ વાસ્તુ સંબંધિત આ ખાસ ઉપાયો વિશે.
આ ઉપાય વાસ્તુશાસ્ત્રમાં ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આ માટે સોમવાર શ્રેષ્ઠ દિવસ છે. આ દિવસે ઓશિકા નીચે સિંદૂરની નાની પેટી રાખીને સૂવું ખૂબ જ ફાયદાકારક છે. બીજા દિવસે સવારે ઉઠીને આ સિંદૂર હનુમાનજીને અર્પણ કરો. એવું માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી મંગલ દોષ દૂર થાય છે અને કાર્યસ્થળમાં પ્રગતિ પ્રાપ્ત થાય છે.
આ પણ વાંચો : Ahmedabad: અમદાવાદ ફાયર બ્રિગેડને વધુ આધુનિક બનાવાશે, આ એક મોટી ઉણપ દૂર કરાશે
જો તમારો સમય સારો નથી ચાલી રહ્યો, તમારા આયોજિત કાર્યો ઘણીવાર બગડી જાય છે અથવા તમને રાત્રે ડરામણા સપના આવે છે, તો પછી તકિયા નીચે લોખંડની કોઇ વસ્તુ રાખીને સૂઈ જાઓ.લોખંડની ચાવી અથવા નાની કાતર જેવી અન્ય લોખંડની વસ્તુથી બદલી શકો છો. એવું માનવામાં આવે છે કે તેનાથી રાહુ અને કેતુની ખરાબ અસર દૂર થાય છે અને જીવનમાં શાંતિ આવે છે.
વાસ્તુ અનુસાર ગીતા અથવા સુંદરકાંડને સૂતી વખતે તકિયા નીચે રાખવું ખૂબ જ શુભ છે. સવારે ઉઠીને ગીતા કે સુંદરકાંડનો પાઠ પણ કરો. તેનાથી મન શાંત રહે છે અને જીવનમાં સકારાત્મક ઉર્જા આવે છે. આ વાસ્તુ ઉપાય કરવાથી મનને સ્થિરતા મળે છે અને તમે કાર્યસ્થળે વધુ સારું પ્રદર્શન કરી શકશો. આ વાસ્તુ ટિપ્સ જીવનમાં લાભ અને પ્રગતિની દિશા દર્શાવે છે.
વાસ્તુમાં મગની દાળનો ખાસ ઉપાય તરીકે પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ પ્રમાણે મંગળવારની રાત્રે મગની દાળને લીલા કપડામાં બાંધીને તકિયા નીચે રાખી સૂઈ જાઓ. સવારે ઉઠ્યા પછી તેને કોઈ કુંવારી કન્યાને દાન કરો અથવા મંદિરમાં જઈને દેવી દુર્ગાના ચરણોમાં મૂકો. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી બુધની અશુભ અસર દૂર થાય છે અને કરિયરમાં પ્રગતિ થાય છે.
ભક્તિ સમાચાર સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે અહીં ક્લિક કરો
Published On - 6:03 pm, Sat, 30 September 23