ગુરૂ નાનક જયંતિ: ગુરુ નાનકજીનો જન્મ ક્યારે અને ક્યાં થયો હતો? જાણો શા માટે ઉજવવામાં આવે છે પ્રકાશ પર્વ

આ વર્ષે ગુરુ નાનક જયંતિ 27 નવેમ્બરે એટલે કે આજે ઉજવવામાં આવશે. શીખ ધર્મ માટે આ દિવસનું વિશેષ મહત્વ છે. આ દિવસે ગુરુદ્વારાને રંગબેરંગી રોશની અને ફૂલોથી શણગારવામાં આવે છે. આ સાથે કીર્તન, પારાયણનું આયોજન કરવામાં આવે છે અને સવારે શોભાયાત્રા પણ કાઢવામાં આવે છે.

ગુરૂ નાનક જયંતિ: ગુરુ નાનકજીનો જન્મ ક્યારે અને ક્યાં થયો હતો? જાણો શા માટે ઉજવવામાં આવે છે પ્રકાશ પર્વ
| Updated on: Nov 27, 2023 | 8:32 AM

ગુરુ નાનક જયંતિ દર વર્ષે કાર્તિર પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. શીખ સમુદાય માટે આ દિવસનું વિશેષ મહત્વ છે. ગુરુ નાનક જયંતિના શુભ અવસર પર દેશભરના તમામ ગુરુદ્વારાઓમાં વિશેષ ઉજવણી જોવા મળે છે. આ દિવસે ગુરુદ્વારાને રંગબેરંગી રોશની અને ફૂલોથી શણગારવામાં આવે છે. આ સાથે કીર્તન, પારાયણનું આયોજન કરવામાં આવે છે અને સવારે શોભાયાત્રા પણ કાઢવામાં આવે છે. ગુરુ નાનક જયંતિને ગુરુ પુરબ અને પ્રકાશ પર્વ તરીકે પણ ઓળખવામાં આવે છે.

ગુરુ નાનકજીનું સ્થાન અને જન્મ તારીખ

માન્યતાઓ અનુસાર, ગુરુ નાનકજીનો જન્મ કારતક માસના શુક્લ પક્ષની પૂર્ણિમાની તિથિએ થયો હતો. તેમનો જન્મ 1469માં પંજાબ પ્રાંતના તલવંડીમાં થયો હતો, જે હવે પાકિસ્તાનમાં છે. નાનકજીનું જન્મસ્થળ હવે નાનકાના સાહિબ તરીકે ઓળખાય છે. શીખ સમુદાયના લોકો માટે આ સ્થાન ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે.

ગુરુ નાનક જયંતિનું મહત્વ

માન્યતાઓ અનુસાર, ગુરુ નાનકજીએ શીખ ધર્મનો પાયો નાખ્યો હતો, તેથી તેમને શીખોના પ્રથમ ગુરુ માનવામાં આવે છે. નાનકજીએ જ પવિત્ર શબ્દો ‘એક ઓકાર’ને લખ્યો હતો. શીખો માટે આ ગુરુવાણીનું ઘણું મહત્વ છે. તમને જણાવી દઈએ કે આ વર્ષે ગુરુ નાનક જયંતિ 27 નવેમ્બર, 2023 એટલે કે આજ રોજ ઉજવવામાં આવશે.

તેને પ્રકાશ પર્વ શા માટે કહેવામાં આવે છે?

ગુરુ નાનકજીએ પોતાનું જીવન સમાજને સમર્પિત કર્યું હતું. તેમણે જાતિવાદ નાબૂદ કરવા અને લોકોને એકતામાં બાંધવા માટે ઉપદેશો આપ્યા હતા. નાનકજીએ સમાજમાં જ્ઞાનનો પ્રકાશ ફેલાવવાનું કામ કર્યું હતું, તેથી જ ગુરુ નાનક જયંતિને પ્રકાશના તહેવાર તરીકે પણ ઉજવવામાં આવે છે.

ગુરુ નાનકજીની ગુરુ વાણી

એક ઓકાર સતનામ કરતા પુરખ

અકાલ મૂરત

અજુની સંભમ

ગુરુ પરસાદ જપ આડ સચ જુગાદ સચ

હૈ ભી સચ નાનક હોસે ભી સચ

સોચે સોચ ન હો વે

જો સોચી લાખ વાર

છુપે છુપ ન હોવૈ

જે લાઈ હર લખ્તા

રઉખિયા પુખ ન ઉતરી

જે બનના પૂરિયા પાર

સહાસ્યાંપા લાખ વહ હૈ

તા એક ન ચલે નાલ

તે વે સચ યારા હોઈ એ

કે વે કૂડે ટૂટતે પાલ

હુકુમ રજાઈ ચલના નાનક લિખિએ નાલ

(નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

આ પણ વાંચો: 27 નવેમ્બરનું પંચાંગ :આજે કારતક સુદ પૂનમ, 27 નવેમ્બરને સોમવાર પંચાંગની મેળવો સંપૂર્ણ જાણકારી

Published On - 8:30 am, Mon, 27 November 23