Shukan Shastra: જાણો શું હોય છે શુકન-અપશુકન, જીવનમાં બનતી ઘટનોઓ આપે છે શુભ અને અશુભ સંકેત

|

Sep 06, 2021 | 1:55 PM

ઘરની છત પર બોલતા કાગડાને કારણે મહેમાનના આગમનની નિશાની હોય અથવા રસ્તામાં ચાલતી વખતે બિલાડી રસ્તો ઓળંગતી હોવાના કારણે તે કોઈ આફતની નિશાની હોઈ. આવો જાણીએ આવા જ કેટલાક સંકેતો વિશે.

Shukan Shastra: જાણો શું હોય છે શુકન-અપશુકન, જીવનમાં બનતી ઘટનોઓ આપે છે શુભ અને અશુભ સંકેત
Shukan Shastra

Follow us on

Shukan Shastra: જીવનમાં બનતી તમામ ઘટનાઓ દ્વારા શુકન અને અપ શુકન જાણવાની પરંપરા સદીઓથી ચાલી આવે છે. સનાતન પરંપરામાં આવા શુભ અને અશુભ સંકેતો જાણવા માટે શુકન શાસ્ત્રમાં વિગતવાર સમજાવવામાં આવ્યું છે. આપણે અહી, પ્રાણીઓથી લઈ જીવ-જંતુ અને તમામ પ્રકારની ઘટનાઓમાંથી આવા શુકન અને અપશુકનને સરળતાથી ઓળખી શકાય છે.

ભલે તે પછી ઘરની છત પર બોલતા કાગડાને કારણે મહેમાનના આગમનની નિશાની હોય અથવા રસ્તામાં ચાલતી વખતે બિલાડી રસ્તો ઓળંગતી હોવાના કારણે તે કોઈ આફતની નિશાની હોઈ. આવો જાણીએ આવા જ કેટલાક સંકેતો વિશે.

1 જો તમે કોઈ કામ માટે ઘરેથી બહાર જઈ રહ્યા છો અને તમને ગાય દેખાય છે, તો તેને શુભ શુકન માનવામાં આવે છે. તેવી જ રીતે, જો ઘરથી બહાર નીકળતી વખતે ગાય ધ્રૂજવા લાગે તો ચોક્કસ કાર્યમાં શુભ પરિણામ મળવાની શક્યતા વધી જાય છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

2 જીવનમાં પૈસા સાથે પણ શુકન -અપશુકન જોડાયેલુ છે. ઉદાહરણ તરીકે 11, 21, 51, 101, 1001 વગેરે જેવી રકમ આપવી ઘણી વખત શુભ માનવામાં આવે છે, પરંતુ જો તમને કોઈ ખાસ કામ માટે જતી વખતે આ નાણાં મળે તો તે સારું માનવામાં આવતું નથી.

એવું માનવામાં આવે છે કે જો તમે કોઈ કામ માટે જતા હોય અને રસ્તામાં તમને કોઈ સિક્કો કે નોટ મળે, તો તેમાં વિલંબ થઈ શકે છે અથવા તેમાં કોઈ અડચણ આવી શકે છે.

3 કોઈ ખાસ કામ માટે નીકળતી વખતે, જો કોઈ સૌભાગ્યવતિ સ્ત્રી તેના બાળકને ખોળામાં લઈને આવી રહી હોય અથવા કોઈ વૃદ્ધ વ્યક્તિની સ્મશાન યાત્રા વાજતે-ગાજતે નીકળતી જોવા મળે, તો એવું માની લેવું જોઈએ કે તમારું કાર્ય પૂર્ણ થઈ જશે.

4 જો કોઈ બિલાડી ઘરની અંદર બચ્ચા આપે છે, તો તે દેવી લક્ષ્મીના આગમનનો સંકેત છે અથવા તેની કૃપા મેળવવાનો શુભ સંકેત છે.

5 જો કોઈ પક્ષી તમારી છત અથવા ઘરની અંદર સોના અથવા ચાંદી વગેરેના ઘરેણાં પછાડે છે, તો આ દેવી લક્ષ્મીના આશીર્વાદને પણ સૂચવે છે.

6 જો કોઈ ભિખારી ઘરથી નિકળતી વખતે જોવા મળે તો તેને શુભ સંકેત માની લો અને તેને દાન આપો કારણ કે આ શુકન તમારા દેવાથી મુક્તિ સૂચવે છે.

 

આ પણ વાંચો: Chanakya Niti : આ 3 સંજોગોમાં દરેક પુરૂષને દુ:ખનો સામનો કરવો જ પડે છે !

આ પણ વાંચો: Crime: દીકરીને થઈ માતાના પ્રેમ પ્રકરણની જાણ, માતાનું Whatsapp Hack કર્યું તો મળી ચોંકાવનારી તસ્વીરો

Next Article