સંકટમોચન હનુમાનજીને કરો પ્રસન્ન, રામરક્ષા સ્તોત્ર કરશે તમારા જીવનના તમામ કષ્ટોને દૂર

|

Nov 26, 2022 | 6:26 AM

જીવનમાં આવનાર તમામ સમસ્યાઓથી તમને દૂર રાખશે હનુમાનજીના (Hanumanji) આશીર્વાદ. જીવનની કોઇપણ સમસ્યા હોય તો તેમાંથી નિવારણ લાવવા માટે હનુમાનજીના મંદિરમાં જઇ અને ત્યાં રામરક્ષા સ્તોત્રનું પઠન કરવું જોઇએ. આવા નાના નાના ઉપાયો કરવાથી તમારા જીવનમાં ક્યારેય આર્થિક સમસ્યા નહીં સર્જાય.

સંકટમોચન હનુમાનજીને કરો પ્રસન્ન, રામરક્ષા સ્તોત્ર કરશે તમારા જીવનના તમામ કષ્ટોને દૂર
Lord Hanuman (symbolic image)

Follow us on

જીવનમાં કોઇપણ સંકટ કે પરેશાની હોય આવા સમયમાં મનુષ્યની સકારાત્મક ઊર્જાને હાનિ થાય છે. માન્યતા અનુસાર સંકટગ્રસ્ત વ્યક્તિ સંકટમોચન હનુમાનજીને પ્રસન્ન કરીને પોતાની પરેશાનીઓમાંથી મુક્તિ મેળવી શકે છે. શનિવારના દિવસે હનુમાનજીને પ્રસન્ન કરવા કેટલાક ખાસ ઉપાયો અજમાવવામાં આવશે તો પરેશાની તો દૂર થશે સાથે જ કિસ્મત ચમકી જશે. હનુમાનજીની કૃપા મેળવવા માટે ભગવાન રામજીના નામનો જાપ પણ મહત્વનો છે. નિત્ય હનુમાન ચાલીસાનું પઠન કરવું જોઇએ. હનુમાનજીને પ્રસન્ન કરવા આજના દિવસે ભક્તો તેમને કેટલાય પ્રકારના ભોગ અર્પણ કરે છે અને કેટલાય પ્રકારની વસ્તુઓ ભેટ કરે છે. આવું કરવાથી ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે.

મનોકામનાપૂર્તિ અર્થે

હનુમાનજીના શ્રીરૂપના મસ્તકમાં રહેલ સિંદૂર જમણા હાથના અંગૂઠાથી લઇને માતા સીતાજીના શ્રીરૂપ તેમના ચરણોમાં લગાવવાથી તમારી મનોકામના પૂર્ણ થશે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

નકારાત્મક ઊર્જાના નાશ અર્થે

શનિવારના દિવસે વહેલી સવારે દોરામાં ચાર મરચાં નીચે તથા 3 મરચાં ઉપર અને વચ્ચે લીંબુ પરોવીને આ માળા ઘર અને વ્યવસાયના દરવાજે લટકાવી દેવી. આવું કરવાથી કોઇપણ પ્રકારની નકારાત્મક ઊર્જાનો વાસ હોય તો તે દૂર થાય છે અને સકારાત્મક ઊર્જાનો સંચાર શરૂ થાય છે

નજરદોષમાંથી મુક્તિ અર્થે

કાળા તલ, જવનો લોટ અને તેલ મેળવીને મિક્સ કરેલ કણક લઇને તેમાથી રોટલી બનાવી તેની પર તેલ અને ગોળ લગાવીને જેને નજર લાગી હોય તે વ્યક્તિની ઉપરથી સાત વાર ઉતારીને ભેંસને આ રોટલી ખવડાવી દેવી. શનિવારના દિવસે આ ઉપાય કરવો.
શનિવારના દિવસે હનુમાનજીના મંદિરમાં જઇ અને તેમના શ્રીરૂપના ખભા પરથી સિંદૂર લઇને નજર લાગી હોય તે વ્યક્તિના કપાળ પર તેનાથી તિલક કરવાથી એક અઠવાડિયામાં જ ખરાબ નજરનો પ્રભાવ દૂર થઇ જાય છે.
નાના બાળકો જો વધુ રડતા હોય તો શનિવારના દિવસે નિલકંઠનું પીંછું લઇને જે પલંગ પર બાળક સૂતુ હોય ત્યાં લગાવી દો . તુરંત જ બાળકનું રડવાનું બંધ થઇ જશે.નાના બાળકો સૂતા સમયે ડરતા હોય તો શનિવારના દિવસે એક ફટકડી બાળકના માથા નીચે મૂકી દેવી.

સમસ્યામાંથી મુક્તિ અર્થે

જીવનમાં કોઇપણ સમસ્યા હોય તો તેમાંથી નિવારણ લાવવા માટે હનુમાનજીના મંદિરમાં જઇ અને ત્યાં રામરક્ષા સ્તોત્રનું પઠન કરવું જોઇએ

હનુમાનજીને શું અર્પણ કરવું ?

⦁ હનુમાનજીને શનિવારે બુંદીનો ભોગ અર્પણ કરવો જોઇએ.

⦁ શનિવારના દિવસે હનુમાનજીને બેસનના લાડુનો ભોગ પણ અર્પણ કરવો જોઇએ.

⦁ હનુમાનજીને સિંદૂર ખૂબ જ પ્રિય છે એટલે શનિવારે હનુમાનજીને સિંદૂર અર્પણ કરવું જોઇએ.

⦁ સિંદૂરમાં ચમેલીનું તેલ મેળવીને હનુમાનજીને લગાવવામાં આવે છે જેને ચોલા કહેવાય છે.

⦁ હનુમાનજીને તમે કોઇપણ પુષ્પની માળા અર્પણ કરી શકો છે પરંતુ તેમને આંકડાના પુષ્પ ખૂબ પ્રિય છે.

⦁ હનુમાનજીના ચરણોમાં ગુલાબનું પુષ્પ અર્પણ કરવું જોઇએ.

⦁ શનિવારના દિવસે હનુમાનજીને લાલ વસ્ત્ર અર્પણ કરવા જોઇએ.

⦁ બજરંગબલીને લાલ રંગ ખૂબ પ્રિય છે.  તેમને લાલ વસ્ત્ર કે ચુંદડી અર્પણ કરી શકો છો.

⦁ શનિવારે અવશ્યપણે રામ મંદિરમાં જવું જોઇએ.

⦁ શનિવારની સાંજે હનુમાનજીને કેવડાનું અત્તર અને ગુલાબના પુષ્પની માળા અર્પણ કરો. હનુમાનજીને ખુશ કરવા માટેનો આ સૌથી સરળ ઉપાય છે.

⦁ શનિવારની સાંજે હનુમાનજીના મંદિરમાં જઇ અને એક સરસીયાના તેલ અને એક શુદ્ધ ઘીનો દિવો અવશ્ય પ્રગટાવવો પછી ત્યાં બેસીને હનુમાન ચાલીસાનું પઠન કરવું.

હનુમાનજીની કૃપા મેળવવા માટેના આ કેટલાક ઉપાયો હતો જેના દ્વારા તમે તમારી સમસ્યા અને કષ્ટોમાંથી મુક્તિ મેળવી શકશો.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Next Article