Sai Kripa: અત્યંત સરળ ઉપાય દ્વારા ભાગ્યોદય આડેના અવરોધો થશે દૂર ! જાણો મનશાપૂર્તિ સાંઈમંત્ર !

|

Dec 23, 2021 | 10:29 AM

સાંઈકૃપા ભક્તોને સંકટોમાંથી તો ઉગારનારી છે જ. પણ, સાથે જ મનોવાંચ્છિત ફળની પ્રાપ્તિ કરાવનારી પણ છે. ત્યારે આજે વાત કરીએ એવાં સાંઈમંત્રોની કે જે ભક્તોની ઈચ્છિત કામનાઓને પૂર્ણ કરે છે.

Sai Kripa: અત્યંત સરળ ઉપાય દ્વારા ભાગ્યોદય આડેના અવરોધો થશે દૂર ! જાણો મનશાપૂર્તિ સાંઈમંત્ર !
ફળદાયી સાંઈમંત્ર

Follow us on

સાંઈબાબા (saibaba) એટલે તો સંકટોનું શમન કરનારું નામ, કે જેમના ચિંતન માત્રથી જ ભક્તોની ચિંતાઓનું પણ હરણ થઈ જાય છે. એ જ કારણ છે કે સંકટ સમયે સાંઈભક્તો સીધાં જ બાબાની શરણે પહોંચી જતાં હોય છે. સાંઈના આશીર્વાદ સર્વ વિઘ્નનું શમન કરનારા મનાય છે. પણ, અમારે તો આજે કરવી છે સાંઈનાથના એ મંત્રની વાત કે જે આપના જીવનને ખુશીઓથી ભરી દેશે.

સાંઈકૃપા ભક્તોને સંકટોમાંથી તો ઉગારનારી છે જ. પણ, સાથે જ મનોવાંચ્છિત ફળની પ્રાપ્તિ કરાવનારી પણ છે. ત્યારે આજે વાત કરીએ એવાં સાંઈમંત્રોની કે જે ભક્તોની ઈચ્છિત કામનાઓને પૂર્ણ કરે છે. માન્યતા અનુસાર આ એવાં મંત્ર છે કે જેના આસ્થા સાથે જાપ કરવાથી વ્યક્તિના ભાગ્ય આડેના અવરોધો દૂર થઈ જાય છે. આ મંત્રો ધંધા-રોજગારની પ્રાપ્તિમાં પણ મદદરૂપ બની શકે છે. એટલું જ નહીં, તે સ્વાસ્થ્ય અને સંતાનના આશિષ પણ પ્રદાન કરે છે. આવો, તે વિશે વધુ માહિતી મેળવીએ.

ભાગ્યવર્ધક સાંઈમંત્ર !
જીવનમાં ઘણીવાર એવું બને કે અનેક પ્રયાસ છતાં સફળતા ન મળતી હોય, કોઈપણ કાર્યમાં મહેનત કરવાં છતાં ભાગ્ય સાથ ન દેતું હોય. ત્યારે ભાગ્યવર્ધક સાંઈમંત્ર ભાગ્ય આડેના અવરોધોને દૂર કરી જીવનને ખુશીઓથી ભરી દે છે. આ મંત્ર છે “ૐ શ્રી સાંઈ લક્ષ્મીનારાયણાય નમઃ” ભાગ્યોદય માટેનો આ મંત્ર લક્ષ્મીની પણ પ્રાપ્તિ કરાવનારો મનાય છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

સાંઈકૃપાથી રોજગારી !
જો આપ નોકરીને લઈને ચિંતિત હોવ તો સાંઈકૃપાથી તેનું સમાધાન પણ મળી શકે છે. નોકરી ન હોય કે નોકરીમાં પ્રગતિ ન થઈ રહી હોય તો સાંઈ રોજગારમંત્રથી સમસ્યાથી મુક્તિ મળી શકે છે. આ માટેનો મંત્ર છે “ૐ શ્રી સાંઈ તીર્થાય નમઃ” દરરોજ આ મંત્રનો જાપ કરવો લાભદાયી બની રહેશે. નિત્ય મંત્રજાપ શક્ય ન હોય તો ગુરુવારના દિવસે તો આ મંત્રનો 108 વખત જાપ જરૂરથી કરવો.

સાંઈકૃપાથી લગ્નયોગ !
સાંઈમંત્ર દ્વારા લગ્નસુખની પણ પ્રાપ્તિ થઈ શકે છે ! જે લોકોના લગ્ન આડે વિઘ્ન આવી રહ્યું હોય તેમણે લગ્નયોગ માટેના સાંઈમંત્રનો જાપ કરવો જોઈએ. મંત્ર છે “ૐ શ્રી સાંઈ પ્રેમપ્રદાય નમઃ” ગુરુવારના રોજ 108 વખત આ મંત્રનો જાપ કરવાથી વિશેષ કૃપાની પ્રાપ્તિ થાય.

સાંઈકૃપાથી સંતાનયોગ !
શેર માટીની ખોટને પૂરશે શ્રીસાંઈના આશીર્વાદ. સંતાનયોગ માટેનો સાંઈમંત્ર છે “ૐ શ્રી સાંઈ પરમસુખદાય નમઃ” કહે છે કે આસ્થા સાથે આ મંત્રનો જાપ કરવાથી સાંઈ સંતાનના આશીર્વાદ પ્રદાન કરે છે.

સાંઈકૃપાથી સ્વાસ્થ્ય સુખ !
શ્રીસાંઈ તો રોગમુક્તિના અને સ્વસ્થ જીવનના આશીર્વાદ પ્રદાન કરે છે. આ માટેનો સાંઈ મંત્ર છે “ૐ શ્રી સાંઈ મૃત્યુંજય નમઃ” કહે છે કે આસ્થા સાથે આ મંત્રનો જાપ કરવાથી શ્રીસાંઈ સ્વસ્થ જીવન અને દીર્ઘ આયુષ્ય પ્રદાન કરે છે.

માન્યતા અનુસાર શ્રદ્ધા અને સબૂરી સાથે આ વિધ-વિધ મંત્રોના જાપ કરવાથી ચોક્કસપણે ભક્તો પર સાંઈબાબાની દિવ્ય કૃપા વરસે છે. અને તેમને મનોવાંચ્છિત ફળની પ્રાપ્તિ થઈ શકે છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

આ પણ વાંચોઃ તુલસીનો એક છોડ પ્રદાન કરશે સંતાન અને કારકિર્દીના આશીર્વાદ, જાણો તુલસી પૂજાના રસપ્રદ લાભ !

આ પણ વાંચોઃ શું તમે રસોઈ બનાવતા પહેલાં કરો છો આ કામ ? તો ઘરમાં ક્યારેય નહીં ખૂટે અન્નના ભંડાર !

Next Article