Nagpanchami 2023 : આ વર્ષે નાગ પંચમી પર કરો આ 7 કામ, દરેક મનોકામના થશે પુરી, મળશે ઇશ્વરના આશીર્વાદ

|

Sep 03, 2023 | 6:50 PM

નાગ પંચમીના દિવસે નાગ દેવતાની પૂજા કરવામાં આવે છે અને તેનું વિશેષ મહત્વ પણ માનવામાં આવે છે. કહેવાય છે કે નાગ દેવતાની પૂજા કરવાથી શુભ ફળ મળે છે અને વ્યક્તિનું જીવન આનંદમય રહે છે.હિંદુ કેલેન્ડર મુજબ, આ તહેવાર શ્રાવણ માસની કૃષ્ણ પક્ષની પાંચમના દિવસે ઉજવવામાં આવે છે,આ વર્ષે નાગ પંચમીનો તહેવાર 04 સપ્ટેમ્બર અને સોમવારના દિવસે છે.

Nagpanchami 2023 : આ વર્ષે નાગ પંચમી પર કરો આ 7 કામ, દરેક મનોકામના થશે પુરી, મળશે ઇશ્વરના આશીર્વાદ
Nag panchami 2023

Follow us on

Nag pancham 2023: નાગ પંચમીનો તહેવાર દર વર્ષે શ્રાવણ મહિનામાં ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવવામાં આવે છે. નાગ પંચમીના દિવસે નાગ દેવતાની પૂજા કરવામાં આવે છે અને તેનું વિશેષ મહત્વ પણ માનવામાં આવે છે. કહેવાય છે કે નાગ દેવતાની પૂજા કરવાથી શુભ ફળ મળે છે અને વ્યક્તિનું જીવન આનંદમય રહે છે.હિંદુ કેલેન્ડર મુજબ, આ તહેવાર શ્રાવણ માસની કૃષ્ણ પક્ષની પાંચમના દિવસે ઉજવવામાં આવે છે,આ વર્ષે નાગ પંચમીનો તહેવાર 04 સપ્ટેમ્બર અને સોમવારના દિવસે છે.

નાગ પંચમી પર કરો આ 7 ઉપાય

જો કોઈ વ્યક્તિ પૈસા કે અન્ય સમસ્યાઓથી પરેશાન હોય તો તે નાગ પંચમીના દિવસે કેટલાક સરળ ઉપાય કરીને તે સમસ્યાઓને દૂર કરી શકે છે. આજે અમે તમને નાગપંચમી પર લેવાતા કેટલાક ઉપાયો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તમારા જીવનને સંપૂર્ણપણે બદલી શકે છે. તો ચાલો જાણીએ એ ઉપાયો વિશે

નાગ પંચમી પર આ વાનગી બનાવો

નાગ પંચમીના દિવસે ખીર બનાવવામાં આવે છે. આ વાનગી ભગવાન નાગા દેવતા અને કુલ દેવી દેવતાને ચઢાવવામાં આવે છે. ત્યાર બાદ આ પ્રસાદ સ્વીકારવામાં આવે છે. તમે પણ આ વસ્તુઓને મિક્સ કરીને પ્રસાદ બનાવો અને નાગ દેવતાની સાથે દેવી-દેવતાઓને પણ ચઢાવો. તમને ઘણા ફાયદા જોવા મળશે.

IPL 2025માં MS ધોનીના રમવા પર સસ્પેન્સ યથાવત
માંસ કેમ ન ખાવું જોઈએ ? દેવરાહા બાબાએ જણાવ્યું મોટું કારણ, જુઓ Video
Indian Oil ભારતમાં, તો પછી વિશ્વની સૌથી મોટી Oil Company કઈ છે?
ઘરે તુલસી છે ! જાણી લો મંજરી કયા દિવસે ન તોડવી જોઈએ?
સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન આવી મોટી ગાડીઓમાં ફરતા હતા મહાત્મા ગાંધી, જુઓ Photos
ખાલી પેટ ખીરા કાકડીનું જ્યુસ પીવાથી જાણો શું થાય છે?

ઘરની બહાર બનાવેલ નાગ દેવતાનું ચિત્ર

કહેવાય છે કે નાગપંચમીના દિવસે ઘરના મુખ્ય દ્વાર પર ગાયના છાણામાં નાગ દેવતાનું ચિત્ર બનાવવું જોઈએ. આમ કરવાથી આર્થિક સ્થિતિ મજબુત બને છે અને પૈસા સંબંધિત તમામ સમસ્યાઓ પણ દૂર થઈ જાય છે.

નાગ ગાયત્રી મંત્રનો જાપ કરવો

નાગ પંચમીના દિવસે નાગ ગાયત્રી મંત્રનો 108 વાર જાપ કરવો જોઈએ. આમ કરવાથી તમારો સાપનો ડર દૂર થઈ જશે. જીવનની સમસ્યાઓ પણ દૂર થવા લાગશે.

નાગ દેવતાની પૂજા દૂધ સાથે કરો

નાગ પંચમીના દિવસે ભગવાન શિવની સાથે નાગ દેવતાની પણ દૂધથી પૂજા કરવી જોઈએ. એવું કહેવાય છે કે જો પાણી અને દૂધ મિક્સ કરીને નાગ દેવને અર્પણ કરવામાં આવે તો જીવનની પરેશાનીઓ દૂર થઈ જાય છે. સાથે જ આર્થિક સ્થિતિ મજબૂત બને છે.

નાગ પંચમીની કથા સાંભળો

નાગ પંચમીના દિવસે જો કોઈ વ્યક્તિ નાગ પંચમીની કથા સાંભળે અને વાંચે તો વ્યક્તિની દરેક મનોકામના પૂર્ણ થાય છે. તેથી નાગ પંચમીની કથા અવશ્ય વાંચવી.

કાલસર્પ દોષમાંથી મુક્તિ

કાલસર્પ દોષમાંથી મુક્તિ મેળવવા માટે નાગ પંચમીની કથાનો પાઠ કરવો ખૂબ જ ફાયદાકારક છે. આ ઉપરાંત અશુભ ગ્રહ રાહુ કેતુની અસર પણ ઓછી થાય છે. ઉપરાંત શિવલીંગની પૂજા અને નમ:શિવાાય મંત્રનો જાપ કરવો જોઇએ.

ડાંગરનો પ્રસાદ

જો નાગપંચમીના દિવસે નાગ દેવતાને ડાંગરનો પ્રસાદ ચઢાવવામાં આવે તો ધન સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે અને ધનલાભની શક્યતાઓ રહે છે. તેની સાથે જ તે સૌભાગ્યમાં પણ વધારો કરે છે, તેથી તેને શુભ માનવામાં આવે છે.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

Next Article