Mahashivratri 2023 : મહાદેવના આ મંદિરમાં દર્શન માત્રથી થાય છે કાલસર્પ દોષ દુર, મળે છે સુખ-શાંતિ

|

Feb 16, 2023 | 4:49 PM

જો તમારી કુંડળીમાં કાલસર્પ દોષ હોય અને તમે ઈચ્છિત પ્રગતિ કરી શકતા ન હોય તો તેનાથી છુટકારો મેળવવા માટે મહાશિરાત્રી પર આ શિવ ધામો કરો વિશેષ પૂજા મળશે ફાયદો.

Mahashivratri 2023 : મહાદેવના આ મંદિરમાં દર્શન માત્રથી થાય છે કાલસર્પ દોષ દુર, મળે છે સુખ-શાંતિ
Kalsharp Dosh

Follow us on

મહાશિવરાત્રી 2023: મહાશિવરાત્રી, જે ભગવાન શિવની ઉપાસના માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે, આ વર્ષે 18 ફેબ્રુઆરી, 2023 ના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે ભગવાન શિવની આરાધના કરવાથી ભોલેના ભક્તોને શનિ સંબંધિત દોષોમાંથી મુક્તિ મળી શકે છે તો બીજી તરફ આ દિવસે જેમની કુંડળીમાં કાલસર્પની સમસ્યા હોય તેમને પણ આમાથી મુક્તિ મળી શકે છે. હિંદુ માન્યતા અનુસાર, જો મહાશિવરાત્રિના અવસર પર દેશના કેટલાક ખાસ મંદિરોમાં જઈને ભગવાન શિવની પૂજા કે દર્શન કરવામાં આવે તો કુંડળીમાં કાલસર્પ દોષ દૂર થઈ જાય છે. ચાલો જાણીએ શિવના પવિત્ર ધામ વિશે અને તેમની પૂજા અને ઉપાય વિશે.

મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ

મધ્યપ્રદેશના ઉજ્જૈન શહેરમાં સ્થિત ભગવાન મહાકાલની પૂજા પણ કાલસર્પ દોષમાંથી મુક્તિ આપનારી માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે મહાશિવરાત્રીના શુભ અવસર પર ભગવાન મહાકાલેશ્વરની વિધિ-વિધાન અનુસાર પૂજા કરવાથી કુંડળીમાં કાલસર્પ દોષ સાથે જોડાયેલી તમામ સમસ્યાઓ આંખના પલકારામાં દૂર થઈ જાય છે.

તક્ષેકેશ્વર મંદિર

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ શહેરમાં યમુના કિનારે સ્થિત તક્ષેકેશ્વર મંદિર વિશે એવી માન્યતા છે કે મહાશિવરાત્રીના દિવસે વ્યક્તિની કુંડળીમાં કાલસર્પ દોષ માત્ર દર્શન અને પૂજા કરવાથી દૂર થઈ જાય છે. અહીં સર્પોના સ્વામી શ્રી તક્ષક નાગનું પવિત્ર તીર્થ છે. એવું માનવામાં આવે છે કે ભગવાન શિવના આ પવિત્ર મંદિરમાં નાગની જોડી અર્પણ કરીને અને નિયમો અનુસાર તેમની પૂજા કરવાથી વ્યક્તિની કુંડળીમાં રહેલા કાલસર્પ દોષ દૂર થાય છે અને શિવની કૃપાથી ભવિષ્યમાં સર્પદંશનો ભય દુર થાય છે.

જીવનમાં આગળ વધવું હોય તો આ 5 જગ્યાથી બચવા ઈન્દ્રેશજી મહારાજે આપી સલાહ
આ છે નવરાત્રીના 9 રંગ, 9 દિવસ આ રંગની સાડી પહેરી માતાજીને કરો પ્રસન્ન
અરે વાહ ! સસ્તામાં થશે તાંબાના વાસણો સાફ, ચમક એકદમ નવા જેવી લાગશે
પાકિસ્તાનની સૌથી લાંબી નદી કઈ છે? ભારત સાથે છે ખાસ કનેક્શન
હેલિકોપ્ટરને હિંદીમાં શું કહે છે, આજે જાણી લો અસલી નામ
આજનું રાશિફળ તારીખ : 05-10-2024

ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ

એવું માનવામાં આવે છે કે મહારાષ્ટ્રના નાસિક સ્થિત ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગની પૂજા કરવાથી વ્યક્તિની કુંડળીમાં કાલસર્પ દોષ દૂર થઈ જાય છે. આ જ કારણ છે કે કાલસર્પ દોષ શાંતિની પૂજા કરવા માટે લોકો દૂર-દૂરથી અહીં પહોંચે છે.

ઓમકારેશ્વર

મધ્યપ્રદેશમાં નર્મદા નદીના કિનારે સ્થિત ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ પર, વ્યક્તિ નિયમો અનુસાર શિવ સાધના કરીને કાલસર્પ દોષમાંથી મુક્તિ મેળવી શકે છે. અહીં કાલસર્પ દોષને શાંત કરવા માટે 1001 પાર્થિવ શિવલિંગ બનાવવામાં આવ્યા છે.

ઘરે કાલસર્પ દોષની પૂજા કેવી રીતે કરવી

જો કાલસર્પ દોષ તમારા જીવનમાં પ્રગતિમાં અવરોધ ઉભો કરી રહ્યો છે અને આ દોષને કારણે તમને દરેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે તો તેનાથી મુક્તિ મેળવવા માટે તમે તમારા ઘરમાં કાલસર્પ દોષની વિશેષ પૂજા કરી શકો છો. કાલસર્પ દોષની શાંતિ માટે તમારા ઘરમાં પાર્થિવ શિવલિંગ પર રૂદ્રાભિષેક કરો અને ચાંદીનો સાપ બનાવીને ભગવાન શિવને અર્પણ કરો. આ સાથે આ પૂજામાં મહામૃત્યુંજય મંત્રનો વિશેષ રીતે જાપ કરો.

(અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)

Published On - 4:48 pm, Thu, 16 February 23

Next Article