
શ્રાદ્ધપર્વને ગરુડ પુરાણમાં પિતૃઋણમાંથી મુક્ત થવાનો શ્રેષ્ઠ અવસર ગણાયો છે ત્રણ પ્રકારના ઋણ ગણ્યા છે તેમાં દેવઋણ,ઋષિઋણ, અને પિતૃ ઋણ જેમાંથી પિતૃઋણમાંથી મુક્ત થવાનો આ પર્વ છે જો આપણે પિતૃ ઋણ ન ચૂકવીએ તો માનવ જન્મ નિર્થક જાય છે આ અંગે જાણીતા જ્યોતિષી ચેતન પટેલે જણાવ્યું કે પિતૃઓના પવિત્ર શ્રાદ્ધ પક્ષ નો પ્રારંભ આજે 10 સપ્ટેમ્બર શનિવારથી શરૂ થશે અને જેની પૂર્ણાહુતિ 25 સપ્ટેમ્બર રવિવારે થશે, શ્રદ્ધાથી કરાય છે માટે જ આ પર્વનું નામ શ્રાદ્ધ છે. આજે આપણને જે કંઈ પણ મળ્યું છે તે આપણા પિતૃઓને કારણે જ પ્રાપ્ત થયું છે માટે જ જે રીતે પરમાત્મા કે દેવી દેવતાનું મહત્વ છે તેજ પ્રકારે સદગત થયેલા આત્માનું પણ પિતૃદેવ તરીકે વિશેષ મહત્વ છે.
પિતૃપક્ષ શ્રાદ્ધપક્ષમાં પૂનમથી શરૂ કરી અમાસ સુધીની 16 તિથિમાંથી આપણા સદગતની દેવલોક પામ્યા હોય તેનું શ્રાદ્ધ પક્ષમાં શ્રાદ્ધ કરવામાં આવે છે અને જેની તિથિ યાદ ના હોય તેવા તમામનું શ્રાદ્ધ સર્વપિત્રુ અમાસે કરવામાં આવે છે
પિતૃપક્ષ 16 દિવસ સુધી ચાલવાના છે ત્યારે કયા દિવસે કઈ તિથિ છે તે પણ જાણી લો
ધર્મ શાસ્ત્રો અને ગરુડ પુરાણ અનુસાર ધર્મરાજ યમ દેવના આદેશથી પિતૃ લોક થી શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓ પોતપોતાના ઘરે કોઈ પણ સ્વરૂપમાં સૂક્ષ્મ રીતે પરોક્ષયા પ્રત્યક્ષ આ દિવસે તૃપ્ત થવાના આશય થી શ્રાદ્ધ ભોજ ગ્રહણ કરવા પોતાના કુટુંબીજનો પાસે આવે છે,જે તેમની આશા પુરી થતા તે સંતુષ્ટ થઈ તૃપ્તિ અનુભવી ખૂબ જ આશીર્વાદ આપે છે, માટે જ તે પિતૃ દેવોના આત્માની શ્રેષ્ઠ સદગતિ તેના ક્રમ પ્રમાણે થાય છે માટે આ હેતુ થી શ્રાદ્ધ પર્વ મા શ્રાદ્ધ કરવાનો મહિમા વર્ણવ્યો છે માટેજ ધર્મ શાસ્ત્રોમાં શ્રાદ્ધ ને પરમ પુણ્ય કર્મ ગણેલ છે
શાસ્ત્રો અનુસાર ભીષ્મપિતામહે તેમના પિતા શાંતનું રાજાનું શ્રાદ્ધ હરિદ્વારમાં કરેલું ભગવાન શ્રીરામે તેમના પિતા મહારાજ દશરથનું શ્રાદ્ધ પુષ્કરમાં કરેલું હતું, તેમજ અનેક કથાઓમાં અનેક શ્રેષ્ઠ રાજાઓ ઋષિઓ, શ્રેષ્ઠ બ્રાહ્મણોએ માનવ જાતીને પોતાના પૂર્વજોનું શ્રાદ્ધ કરી તેઓને તૃપ્ત કરી તેમના આશિર્વાદ મેળવવાની સુચનાઓ આપી છે.
શ્રાદ્ધ અંગે વધુ જણાવતાં જયોતિષી ચેતનભાઈ પટેલે જણાવ્યું કે શાસ્ત્રો અને પુરાણોમાં વર્ણવિત મહિમા અનુસાર શ્રાદ્ધ પર્વમાં સદગતની તિથિ એ કરેલ શ્રાદ્ધ અને પિતૃતર્પણ થી પિતૃઓ તૃપ્ત થાય છે અને આશીર્વાદ આપે છે જેના ફળસ્વરૂપે પિતૃ ઋણમાંથી મુક્તિ મળે છે તેના ફળ સ્વરૂપે સંતતિ સંપત્તિ તેમજ સુખ શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે રોગ અને દોષો શાંત થાય ઉત્તમ આરોગ્ય મળે છે, દરેક જગ્યાએ સફળતા મળે છે યસ નામ પ્રતિષ્ઠા વધે છે દેવી દેવતાઓ પણ આશિર્વાદ આપે છે માટેજ શાસ્ત્રમાં આ શ્રાદ્ધ કર્મ ને સૌથી શ્રેષ્ઠ પુણ્ય કર્મ ગણ્યું છે .
શ્રાદ્ધ પર્વમાં જે પોતાના પિતૃઓને ઠારતા નથી જે પિતૃ દેવો ને તૃપ્ત કરતા નથી જે તેમનું શ્રાદ્ધ આનંદથી કરતા નથી કે તેમનું અપમાન કે અનાદર કરે છે તેમના પિતૃ નિરાશ થઈ અને પિતૃ લોક પાછા જાય છે જેનાથી પિતૃ દેવો સાથે ઇષ્ટદેવ દેવી દેવતાઓ પણ નારાજ થાય છે, જેના લક્ષણો માનવીના જીવન માં ઘણીવાર અનેક પ્રકારની આપત્તિઓ આવે છે
જેવી કે સંતતિ કે સંતાનના પ્રશ્નો સંપત્તિ કે જમીન મકાન મિલકતના પ્રશ્નો રોગ કે અકસ્માત નુકસાની લડાઈ ઝઘડા કોર્ટ કચેરી વેરઝેર જેલ બદનામી બુદ્ધિ બેર મારી જાય અને સમૃદ્ધિ અને સંપત્તિનો નાશ થાય છે એક પૂરી થાય અને બીજી આપત્તિ જેવી અંત હીન તકલીફોનો જીવનમાં સામનો કરવો પડે છે
માટે જ પોતાના પિતૃઓ પૂર્વજો તૃપ્ત રહે તૃપ્ત થાય તેવી સાચી ભક્તિ અને શ્રદ્ધાથી શ્રાદ્ધ કર્મ કરવું જોઈએ જેમાં મનુષ્યનું કલ્યાણ છે
શ્રાદ્ધ પક્ષના છેલ્લા દિવસે તીર્થ સ્નાન કે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાની પરંપરા છે ઉપરાંત પૂર્વજો માટે શ્રાદ્ધકર્મ પછી દીપદાનનું પણ ખાસ મહત્વ છે. સર્વપિતૃ અમાસના દિવસે પંચબલિ કર્મ (બ્રાહ્મણ, ગાય, કૂતરા, કાગડા અને કીડીને ભોજન)ની સાથે પીપળાનુ પૂજન અને જળ અર્પણ કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે કહેવાય છે કે પિતૃપક્ષમાં તર્પણ કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને આશીર્વાદ આપે છે. તેમના આશીર્વાદથી જીવનમાં આવનારી તમામ મુશ્કેલીઓ દૂર થાય છે
શ્રદ્ધા થી કરો પિતૃઓનું શ્રાદ્ધ પિતૃ ઋણ ઉતરશે અને મળશે પિતૃ આશીર્વાદ
શ્રાદ્ધપર્વ ને ગરુડ પુરાણ માં પિતૃઋણ માંથી મુક્ત થવાનો શ્રેષ્ઠ અવસર ગણાયો છે ત્રણ પ્રકારના ઋણ ગણ્યા છે તેમાં દેવઋણ ,ઋષિઋણ, અને પિતૃ ઋણ જેમાંથી પિતૃઋણ માંથી મુક્ત થવાનો આ પર્વ છે જો આપણે પિતૃ ઋણ ન ચૂકવીએ તો માનવ જન્મ નિર્થક જાય છે
આ અંગે જાણીતા જ્યોતિષી ચેતન પટેલે જણાવ્યું કે પિતૃઓના પવિત્ર શ્રાદ્ધ પક્ષ નો પ્રારંભ આજે ૧૦ સપ્ટેમ્બર શનિવાર થી શરૂ થશે અને જેની પૂર્ણાહુતિ ૨૫ સપ્ટેમ્બર રવિવારે થશે શ્રદ્ધાથી કરાય છે માટે જ આ પર્વનું નામ શ્રાદ્ધ છે
આજે આપણ ને જે કંઈ પણ મળ્યું છે તે આપણા પિતૃઓને કારણે જ પ્રાપ્ત થયું છે માટે જ જે રીતે પરમાત્મા કે દેવી દેવતા નું મહત્વ છે તેજ પ્રકારે સદગત થયેલા આત્માનું પણ પિતૃદેવ તરીકે વિશેષ મહત્વ છે
પિતૃપક્ષ શ્રાદ્ધપક્ષ માં પૂનમ થી શરૂ કરી અમાસ સુધી ની 16 તિથિમાંથી આપણા સદગતની દેવલોક પામ્યાની જે તિથી હોય તે જ તિથિ એ શ્રાદ્ધ પક્ષમાં શ્રાદ્ધ કરવામાં આવે છે અને જેની તિથિ યાદ ના હોય તેવા તમામનું શ્રાદ્ધ સર્વપિત્રુ અમાસે કરવામાં આવે છે.
શાસ્ત્ર અનુસાર પિતૃઓનું શ્રાદ્ધ દીકરો, દીકરી, પતિ -પત્નિ ,ભાઈ ,બહેન, સગા, સ્નેહી, સબંધી દોસ્ત પાડોશી પરિચિત ગામજન કોઈ પણ દિવ્ય આત્માનું નામ લઈને કરી શકે છે ખરેખર તો આ સિવાય આપણાં પિતાના પરિવાર ઉપરાંત જો માતાના પરિવારના સદગત આત્મા માટે તેમનું પણ આપને શ્રાદ્ધ કરી શકીએ છીએ અને તે પણ ખૂશ થઈ સહજ સ્વીકારી તૃપ્ત થાય છે બીજું ખાસ આપણે આપણા પૂર્વજો જેમની કૃપાથી શ્રાદ્ધ પક્ષમાં આવવા મળેછે તેવા પૂર્વજોના દેવ અર્યમાં અને પિતૃ લોક સ્વામી યમ દેવ માટે પણ તર્પણ પૂજન કરવું જોઈએ, જેથી તેમની કૃપા આપણી અને આપણા પિતૃઓ પર બની રહે.