Anant Chaturdashi 2021: કેવી રીતે થઈ ગણેશ વિસર્જનની શરૂઆત ? જાણો, રસપ્રદ કથા અને વિસર્જન વિધિથી પ્રાપ્ત થતા આશીર્વાદ

|

Sep 19, 2021 | 10:40 AM

તમારી ઈચ્છાઓ પૂરી કરવા માટે અથવા તમારા જીવનમાંથી કોઈ સમસ્યા કે અવરોધો દૂર કરવા માટે, તમે ગણેશ વિસર્જનના દિવસે એક નાનો ઉપાય કરી શકો છો. આ પ્રયોગથી વ્યક્તિને તમામ મુશ્કેલીમાંથી મુક્તિ મળવાની માન્યતા છે.

Anant Chaturdashi 2021: કેવી રીતે થઈ ગણેશ વિસર્જનની શરૂઆત ? જાણો, રસપ્રદ કથા અને વિસર્જન વિધિથી પ્રાપ્ત થતા આશીર્વાદ
વિસર્જન સમયે એકદંત દેશે મનશાપૂર્તિના આશીર્વાદ

Follow us on

લેખકઃ ધાર્મિકશ્રી જાની, જ્યોતિષાચાર્ય અને પ્રેરક વક્તા

 

ભાદરવા મહિનામાં શુક્લ પક્ષ દરમિયાન અનંત ચતુર્દશી (Anant Chaturdashi) પર ગણેશ વિસર્જન કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે બાપ્પા, જે આપણા ઘરે આશીર્વાદ (Blessing) આપવા માટે આવે છે, તે ગણેશ વિસર્જન પછી પોતાના ઘરે પાછા ફરે છે. પરંતુ અહીં, પ્રશ્ન થાય છે કે ગણેશ વિસર્જનનું મહત્વ શું છે અને ભગવાન ગણેશનું માત્ર પાણીમાં જ કેમ વિસર્જન કરવામાં આવે છે ? ચાલો, આજે આ પ્રશ્નોના જવાબો શોધીએ.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

વિસર્જનના પ્રારંભની કથા
હિન્દુ શાસ્ત્રોમાં ઉલ્લેખ છે તે અનુસાર મહાભારત ભગવાન ગણેશ દ્વારા લખવામાં આવ્યું હતું. એવું કહેવાય છે કે મહર્ષિ વેદ વ્યાસે સતત દસ દિવસ સુધી મહાભારતની કથા ગણેશને સંભળાવી હતી અને ભગવાન ગણેશે આ દંતકથા સતત દસ દિવસ સુધી લખી હતી. દસ દિવસ પછી, જ્યારે વેદ વ્યાસે ગણેશના શરીરને સ્પર્શ કર્યો, ત્યારે તેમને સમજાયું કે ગણેશજીના શરીરનું તાપમાન વધી ગયું છે. વેદ વ્યાસ તરત જ તેમને નજીકના કુંડ સુધી લઈ ગયા, જ્યાં પાણીને કારણે તેમના શરીરના વધેલા તાપમાનમાં ઘટાડો થવા લાગ્યો. ત્યારથી ગણેશ વિસર્જનની પરંપરા શરૂ થઈ. એવું માનવામાં આવે છે કે જળમાં થયેલું વિસર્જન ભગવાન ગણેશને શાંતિ આપે છે.

ગણેશ વિસર્જન પૂજા વિધિ
એવું કહેવામાં આવે છે કે કોઈ પણ ઉપવાસ અથવા કોઈ પણ વિધિ ત્યારે જ ફળદાયી બને છે જ્યારે તે નિર્ધારિત અને સાચી પૂજા પદ્ધતિ અને વિધિઓ સાથે કરવામાં આવે. તો ચાલો, બાપ્પાની વિદાયની વિધિ અને પૂજા પદ્ધતિ એટલે કે ગણેશ વિસર્જન વિશે જાણીએ.

1. ગણેશ વિસર્જન કરતા પહેલા ભગવાન ગણેશની પૂજા કરો.
2. પૂજા દરમિયાન તેમને મોદક અને ફળ અર્પણ કરો.
3. બાપ્પાની આરતી કરો અને આવતા વર્ષે તેમને તમારા ઘરે આમંત્રણ આપો.
4. તે પછી, પૂજા સ્થળ પરથી ભગવાન ગણેશની મૂર્તિને કાળજીપૂર્વક, આદર સાથે ઉપાડો.
5. ગંગાજળથી સ્વચ્છ લાકડાના સ્ટૂલને શુદ્ધ કરો. પછી તેના પર સ્વચ્છ ગુલાબી રંગનું કપડું ફેલાવો અને ભગવાન ગણેશની મૂર્તિ, ફળો, ફૂલો, કપડાં, મોદક મૂકો.
6. આ પછી, ચોખા, ઘઉં, બદામ અને સિક્કા મૂકો.
7. પછી, ગણેશ વિસર્જન કરો, પછી ભલે તમે તેને ઘરે કરો અથવા બહાર ખુલ્લામાં કરો.

ધ્યાનમાં રાખવાની બાબતો
1. યાદ રાખો કે કોરોના હજી સમાપ્ત થયો નથી. કોરોના વાયરસના સંદર્ભમાં સરકાર દ્વારા જારી માર્ગદર્શિકાનું પાલન કરો અને સામાજિક અંતર જાળવો.
2. ગણેશ વિસર્જન પહેલા ભગવાન ગણેશની આરતી કરવામાં આવે છે. જો કે, ભીડ વચ્ચે વધુ સમય ન વિતાવવા માટે, તમે તમારા ઘરે આરતી અને ગણેશ પૂજા કરી શકો છો અને માત્ર વિસર્જન સ્થળે ભગવાન ગણેશનું વિસર્જન કરી શકો છો.
3. આનંદ અને ખુશી સાથે બાપ્પાને વિદાય આપો.
4. આ સમય દરમિયાન કાળા રંગના કપડાં પહેરવાનું ટાળો.
5. વિસર્જન દરમિયાન કોઈ પર ગુસ્સે થશો નહીં.
6. ગણેશ પૂજાથી ગણેશ વિસર્જન સુધી ભૂલથી પણ ભોગની વસ્તુઓમાં તુલસી કે બિલ્વપત્રનો સમાવેશ ન કરો.
7. ભગવાન ગણેશના આશીર્વાદ મેળવવા માટે દૂર્વા ઘાસ અર્પણ કરો.

ગણેશ વિસર્જનના વિશેષ ઉપાય
તમારી ઈચ્છાઓ પૂરી કરવા માટે અથવા તમારા જીવનમાંથી કોઈ સમસ્યા કે અવરોધો દૂર કરવા માટે, તમે ગણેશ વિસર્જનના દિવસે એક નાનો ઉપાય કરી શકો છો, એટલે કે ભોજપત્રની ટોચ પર સ્વસ્તિક બનાવો અને “ૐ ગં ગણપતયે નમઃ” લખો. પછી, તમારી બધી સમસ્યાઓ અને ઇચ્છાઓ તળિયે લખો. આ પેપર સાફ રાખો. પછી ગણેશ મંત્ર સાથે તમારું નામ લખો. છેલ્લે, ફરી એક સ્વસ્તિક બનાવો, આ કાગળને ફોલ્ડ કરો, તેને એક રક્ષણાત્મક દોરાથી બાંધી દો અને આ કાગળને ભગવાન ગણેશની મૂર્તિ સાથે વિસર્જન કરો. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી વ્યક્તિની તમામ મનોકામના પૂર્ણ થાય છે અને તેને તમામ મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે.

 

આ પણ વાંચોઃ જાણો ત્રણ શુભ રંગ, વિસર્જન પૂર્વે આ રંગ દ્વારા પૂજનથી શ્રીગણેશ થશે પ્રસન્ન !
આ પણ વાંચોઃ આજે ગણપતિ વિસર્જન વેળાએ પરિવાર અને મિત્રોને પાઠવો આ શુભ સંદેશ

Next Article