Ganesh Festival 2021: ગણેશોત્સવના 10 દિવસ દરમ્યાન આ 4 રાશિના લોકો પર રહેશે ભગવાન ગણેશની વિશેષ કૃપા, જાણો કઈ છે આ રાશિઓ?

|

Sep 12, 2021 | 7:39 AM

Ganesh Utsav Rashifal: જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગણેશ ઉત્સવના 10 દિવસ આ 4 રાશિઓ માટે વિશેષ શુભ રહેશે.

Ganesh Festival 2021: ગણેશોત્સવના 10 દિવસ દરમ્યાન આ 4 રાશિના લોકો પર રહેશે ભગવાન ગણેશની વિશેષ કૃપા, જાણો કઈ છે આ રાશિઓ?

Follow us on

Ganesh Festival 2021: 10 દિવસ માટે ગણેશ ઉત્સવ શરૂ થઈ ગયા છે. આ તહેવાર 19 સપ્ટેમ્બરે અનંત ચતુર્દશી સુધી ચાલુ રહેશે. દર વર્ષે આ તહેવાર દેશના તમામ ભાગોમાં ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે. ગણપતિજીને સુખકર્તા અને દુ:ખહર્તા કહેવાયા છે.

 

એવું માનવામાં આવે છે કે જો ગણપતિજીના આશીર્વાદ લેવામાં આવે તો તમામ વિઘ્નો દૂર થાય છે અને કોઈપણ કાર્ય સફળતા સાથે પૂર્ણ થાય છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગણેશ ઉત્સવના 10 દિવસ 4 રાશિઓ (Ganesh Utsav Rashifal) માટે વિશેષ શુભ રહેશે. જાણો આ રાશિઓ વિશે.

 

અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે

વૃષભ: વૃષભ રાશિના લોકો ખૂબ જ મહેનતુ હોય છે, પરંતુ તેમને ઘણી વખત તેમની મહેનતનું ફળ મોડું મળે છે. પરંતુ જ્યોતિષ અનુસાર ગણેશ ચતુર્થીનો તહેવાર તેમના માટે ઘણી ખુશીઓ લઈને આવી રહ્યો છે. આ દરમિયાન તેઓ ભગવાન ગણેશનું નામ લઈને કોઈપણ નવું કાર્ય શરૂ કરી શકે છે. બાપ્પાની કૃપાથી તેમના ગ્રહોની સ્થિતિ તેમના પક્ષમાં રહેશે અને નસીબ તેમનો સંપૂર્ણ સાથ આપશે. આ કારણે તેઓ તેમની મહેનત અનુસાર સંપૂર્ણ પરિણામ પ્રાપ્ત કરશે. તેનાથી તેમની ખ્યાતિ વધશે અને આર્થિક લાભ પણ થશે.

 

જ્યોતિષશાસ્ત્ર અનુસાર, ગણેશ ઉત્સવના 10 દિવસ 4 રાશિઓ માટે વિશેષ શુભ રહેશે

 

મિથુન: મિથુન રાશિના લોકો માટે ગણેશોત્સવના દિવસો ખૂબ જ ખાસ રહેશે. આ દરમિયાન તેમના પર ગણપતિના વિશેષ આશીર્વાદ રહેશે. આ તકનો લાભ લઈને તેઓએ આવા કામ કરવા જોઈએ, જે તેમના અને લોકોના હિતમાં હોય. આ દરમિયાન મિથુન રાશિના લોકો જે પણ કરશે, તેમને સફળતા મળશે. તેમને આર્થિક લાભ પણ મળશે.

 

સિંહ: સિંહ રાશિના જાતકોના જીવનમાં ઉતાર -ચઢાવનો અંત લાવવાનો સમય આવી ગયો છે. ગણેશોત્સવના 10 દિવસો ઘણી ખુશીઓ લઈને આવી રહ્યા છે. લાંબા સમયથી કામમાં આવતા અવરોધો દૂર થશે. મહેનત પૂર્ણ ફળ આપશે. નાણાકીય સમસ્યાઓ પણ ઓછી થશે.

 

કન્યા: કન્યા રાશિના લોકો માટે આ સમય ભાગ્ય ચમકાવનાર છે. આ દરમિયાન તમારી બધી ઈચ્છાઓ પૂરી થશે. જે સ્પર્ધકો કોઈપણ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે, તેમને તેમની મહેનતનું ફળ મળશે. ભાગ્ય સંપૂર્ણ રીતે તમારી સાથે છે, આના કારણે અટકેલું કામ થશે. આર્થિક સ્થિતિ સારી રહેશે અને જીવન સાથીને દરેક કામમાં સંપૂર્ણ સહયોગ મળશે.

 

આ પણ વાંચો: કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલયે ભાવિના પટેલને 8 લાખનું રોકડ ઇનામ આપ્યું

 

આ પણ વાંચો: કોવિન પોર્ટલે લોન્ચ કર્યુ API, તેની મદદથી ખબર પડશે કે કોણે વેક્સિન લીધી છે અને કોણે નહીં ?

 

Published On - 9:16 pm, Sat, 11 September 21

Next Article