આપણે ગણેશજી (Ganesh Utsav)નું સ્થાપન કરી પૂજન અર્ચન કરીએ જ છીએ સાથે જો ગણેશજીની વિશેષતાઓ અને ગણેશજીની કલ્યાણકારી બાબતો જાણી તેમની આરાધના કરીએ તો સોનામાં સુગંધ ભળી જાય આ અંગે વધુ માહિતી આપતા જાણીતા જ્યોતિષી ચેતન પટેલે જણાવ્યું કે ગણેશજીના મહિમા અનુસાર આ ગણેશ ઉત્સવ(Ganesh Utsav) દરમિયાન પૂજા ઉપાસના કરાય તો અવશ્ય ફળે છે
નિત્ય જાપ કરવાથી વિઘ્નો દૂર રહે છે
સુમુખ: ઓમ સુમુખાય નમઃ, એકદંત :ઓમ એકદંતાય નમઃ, કપિલ :ઓમ કપિલાય નમઃ, ગજકર્ણક: ઓમ ગજકણકાય નમઃ, લંબોદર: ઓમ લાંબોદરાય નમઃ, વિકટ: ઓમ વિકટાય નમઃ, ઓમ વિઘ્નહર્તા: ઓમ વિઘ્નહર્તા નમઃ વિનાયક: ઓમ વિનાયકાય નમઃ, ધૂમ્રકેતુ: ઓમ ધુમ્રકેતવે નમઃ, ગણાધ્યક્ષ: ઓમ ગણાધ્યક્ષ્યાય નમઃ, ભાલચંદ્ર: ઓમ ભાલચંદ્રય નમઃ, ગજાનન: ઓમ ગજાનનાય નમઃ
પ્રિય પ્રસાદ (મિઠાઇ)-અનેક પ્રકારના મોદક, ચુરમાના લાડુ અને ગોળ
પ્રિય પુષ્પ- લાલ પીળા રંગનાં જાસૂદ ,ગુલાબ , હજારીગલ ના ગલગોટા
પ્રિય વનસ્પતિ – દુર્વા – ધરો, શમી-પત્ર
ઓમ ગં ગણપતયે નમઃ
ઓમ એક દંતાય વિદ્મહે મહાદેવાય ધીમહિ તનો દંતિ પ્રચોદયાત્
તત્વ અર્પણ
ગણેશજી – જળ તત્વનાં અધિપતિ છે અને ગંગાજળ મિશ્રિત જળ થી સ્નાન ખુબ પ્રિય છે ગણેશ સ્થાપન પાસે જલ ભરેલ કળશ રાખવાથી ગણેશજી પ્રસન્ન રહે છે
ગણેશજી – બુધ અને કેતુ ગ્રહના અધિપતિ છે
પ્રમુખ અસ્ત્ર- પાશ, અંકુશ,અને પરશુ છે , અન્ય શણગારમાં શંખ, કમળ પુષ્પ કે ચક્ર ગદા
ગણેશ પરિવાર સ્મરણ કરી મનોમન તમામને વંદન કરાય તો ગણેશજી ખુબ ખૂશ થઈ જાય છે
પિતા- ભગવાન શિવ
માતા- ભગવતી ઉમા
ભાઈ- શ્રી કાર્તિકેય
બહેન- ઓખા
પત્ની- ૧.રિદ્ધિ ૨. સિદ્ધિ
પુત્ર- ૧. શુભ ૨. લાભ
શાસ્ત્ર અનુસાર દેવતાઓના શિલ્પી વિશ્વકર્માજી ની બે કન્યાઓ રિદ્ધિ અને સિદ્ધિ શ્રી ગણેશજી ની પત્નીઓ છે સિદ્ધિએ લાભને અને રિદ્ધિ એ શુભ ને જન્મ આપ્યો હતો
નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.
Published On - 2:18 pm, Tue, 6 September 22