Vastu Shastra Colour Tips : વાસ્તુ શાસ્ત્રમાં કલરનું છે ખાસ મહત્વ, જાણો ક્યાં રંગથી શું થાય છે ફાયદો

|

Sep 06, 2021 | 8:00 PM

ઘરની દિવાલો(Wall)  પર લગાવેલા રંગો(Colour) પણ તમારી ખુશીઓ સાથે સંબંધિત છે.તમારી ખુશી સારા નસીબમાં ફેરવાય છે જયારે તમે વાસ્તુ અનુસાર જ્યારે તમે ડ્રોઇંગ રૂમથી બેડ રૂમ સુધી રંગો કરો છો.

Vastu Shastra Colour Tips : વાસ્તુ શાસ્ત્રમાં કલરનું છે ખાસ મહત્વ, જાણો ક્યાં રંગથી શું થાય છે ફાયદો

Follow us on

કુદરતે બનાવેલા તમામ રંગોનું(Colour) અલગ મહત્વ છે. દરેક રંગનું પોતાનું ભાગ્ય અને અલગ પ્રભાવ છે જે માનવ જીવનને અસર કરે છે. આ જ કારણ છે કે વાસ્તુશાસ્ત્રમાં આ રંગોનું ખૂબ મહત્વ છે. આવી સ્થિતિમાં મનને સુખ અને તાજગીથી ભરપૂર આ રંગો પસંદ કરતી વખતે જો તમે વાસ્તુ નિયમોનું ધ્યાન રાખશો તો આ રંગો તમારા માટે સારા નસીબ સાબિત થશે.

વાસ્તુ( vastu) અનુસાર, જ્યારે તમે તમારા મકાનની દિવાલોને રંગશો ત્યારે તમને ત્યાં ખૂબ જ સકારાત્મક અને આશ્ચર્યજનક પરિણામો જોવા મળશે. ચાલો પહેલા જમીન સાથે સંકળાયેલા રંગો વિશે વાત કરીએ.

જમીનના રંગોનું જીવન પર પ્રભાવ
વાસ્તુ અનુસાર, ઘરમાં સફેદ કલર હોય તો તે ઘરમાં રહેતા પરિવારમાં હંમેશા સુખ અને સંપત્તિમાં વધારો થાય છે.
જે બનાવેલ ઘરનો રંગ લીલો હોય તેના પર ધનની દેવી લક્ષ્મીના આશીર્વાદ હંમેશા તેના પર રહે છે, તેને ક્યારેય પૈસાની તંગી રહેતી નથી.
ઘરમાં પીળો કલર હોય તો આ પરિવારના લોકોને સત્તા, સરકાર વગેરેમાંથી પૈસા મળે છે. પીળા રંગની શુભ અસરને કારણે ઘરના લોકોનું મન ધાર્મિક કાર્યોમાં પણ ઘણું હોય છે.
જે પરિવાર કાળા કલરના ઘરમાં રહે છે તે પરિવારને બાળકોનું સુખ પણ મળે છે. આવા ઘરમાં જન્મેલા બાળકો હંમેશા તેમના પરિવારનું નામ રોશન કરે છે.
જે ઘરમાં વાદળી કલર હોય તે ઘરમાં પરિવારના વ્યક્તિની બૌદ્ધિક ક્ષમતા વધે છે અને આવા ઘરના લોકો વિદ્વાન હોય છે. તેમને સમાજમાં ઘણું સન્માન મળે છે.
જે લોકોના ઘરનો રંગ લાલ હોય છે તે ઘર અને પરિવારમાં વારંવાર સંઘર્ષ જોવા મળે છે.

41.7 કરોડ… IPL 2025માં આ મેચને મળી સૌથી વધુ વ્યૂઅરશીપ
RJ મહવશે યુઝવેન્દ્ર ચહલ માટે કહી દીધી મનની વાત ! જુઓ Photos
Ghee For Health : ઉનાળામાં કેટલું દેશી ઘી ખાવું જોઈએ? જાણી લો
IPL 2025 : ધોનીની CSK કેચ છોડવામાં છે નંબર 1
જાણો વાણી કપૂરના પરિવારમાં કોણ કોણ છે, જુઓ ફોટો
Plant in pot : ઘરે પીસ લીલીનો છોડ ઉગાડવો છે ખૂબ જ સરળ, જાણો

વાસ્તુના આ નિયમ જાણો
ઘર બનાવતી વખતે ઘરના મુખ્ય વ્યક્તિએ પોતાની રાશિ અનુસાર રંગો પસંદ કરવા જોઈએ.
મકાન બાંધતી વખતે કાળા પથ્થરોનો વધુ પડતો ઉપયોગ ન કરવો જોઈએ, નહીં તો રાહુની અસર વધે છે.
ઘરની દિવાલો અને જમીન માટે સફેદ રંગનો વધુ પડતો ઉપયોગ ન કરવો જોઇએ, નહીંતર પરિવારના સભ્યો ખૂબ મહત્વાકાંક્ષી બની જાય છે.

(અહીં આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, આ માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)

આ પણ વાંચો : Breking News : કોવિડ દર્દીઓની સારવાર માટે અત્યંત અસરકારક દવા TOCIRAને ઇમરજન્સી ઉપયોગ માટે DCGI ની મંજૂરી

આ પણ વાંચો :Kabul International Stadium : તાલિબાન શાસન બાદ પ્રથમ વખત ક્રિકેટ મેચનું આયોજન, મેચ જોવા તાલિબાનો રાઈફલ લઈને પહોંચ્યા

Next Article