Vasant Panchami 2023: આજના દિવસે નહીં કર્યુ જો આ કામ તો અધૂરી રહેશે પૂજા, જાણો નિયમ

vasant Panchami 2023: માઘ મહિનાના શુક્લ પક્ષની પાંચમી તિથિને વસંત પંચમી તરીકે ઉજવવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, આ દિવસે વિદ્યાની દેવી માતા સરસ્વતીનો જન્મ થયો હતો. પરંતુ આ દિવસે કેટલાક ખાસ કામ છે જે કરવા જ જોઈએ. ચાલો જાણીએ એ ઉપાય શું છે.

Vasant Panchami 2023: આજના દિવસે નહીં કર્યુ જો આ કામ તો અધૂરી રહેશે પૂજા, જાણો નિયમ
Vasant Panchami
| Edited By: | Updated on: Jan 26, 2023 | 12:03 PM

Basant Panchami 2023વસંત પંચમીના તહેવારનું હિન્દુ ધર્મમાં ઘણું ધાર્મિક મહત્વ છે. સનાતન પરંપરા અનુસાર વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીની વિશેષ પૂજા કરવામાં આવે છે. આ દિવસે પીળા રંગના વસ્ત્રો, ફૂલ, કંકુ, ધૂપ અને દીવો વગેરે માતાજીને અર્પણ કરવામાં આવે છે. આ વખતે આ તહેવાર આજે એટલે કે 26 જાન્યુઆરી 2023ના રોજ ઉજવવામાં આવી રહ્યો છે. એવું માનવામાં આવે છે કે જે ભક્તો આ દિવસે જ્ઞાનની દેવી સરસ્વતીની પૂજા કરે છે, તેમને જીવનમાં ઝડપથી સફળતા મળે છે. પરંતુ, પૂજા-પાઠ સિવાય પણ કેટલાક એવા કાર્યો છે જે આ દિવસે કરવા જ જોઈએ. તો આવો જાણીએ તે ઉપાયો શું છે.

પૂજાનું શુભ મુહૂર્ત

સરસ્વતી પૂજાનો શુભ સમય 26 જાન્યુઆરીએ સવારે 07.06 થી બપોરે 12.34 સુધીનો રહેશે. આ દિવસે સૌ પ્રથમ સવારે વહેલા ઊઠીને સ્નાન કરો અને પછી મા સરસ્વતીને પીળા ફૂલ અને મીઠાઈઓ અર્પણ કરો. એવું માનવામાં આવે છે કે આ દિવસે પીળા રંગનો વધારેમાં વધારે ઉપયોગ કરવો જોઈએ. તેનાથી માતા જલદી પ્રસન્ન થાય છે.

શું કરવું શું ન કરવું

  1. મા સરસ્વતીને જ્ઞાનની દેવી માનવામાં આવે છે, તેથી ખાસ કરીને વિદ્યાર્થીઓએ આ દિવસે સ્નાન કરવું જોઈએ અને પછી વિધી અને નિયમો અનુસાર મા સરસ્વતીની પૂજા કરવી જોઈએ. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી માતાની વિશેષ કૃપા તમારા પર રહે છે અને તમને સફળતા મળે છે.
  2. કારણ કે માતા સરસ્વતીને કમળનું ફૂલ ખૂબ જ પ્રિય છે, તેથી આજે તેમની પૂજા કરતી વખતે કમળનું ફૂલ અવશ્ય ચઢાવો. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી ભક્તોના જીવનના તમામ પાપો અને કષ્ટો દૂર થઈ જાય છે.
  3. આ દિવસે પીળા રંગનું વિશેષ મહત્વ હોય છે. તેથી આજે બસંત પંચમીના દિવસે તેમની પૂજામાં પીળા ફૂલ અને ફળ ચઢાવો. આ સાથે, જો શક્ય હોય તો, પીળા કપડાં જાતે પહેરો. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી દેવી સરસ્વતીની કૃપા હંમેશા બની રહે છે.
  4. જો તમારા બાળકને અભ્યાસમાં રસ ન હોય અથવા સખત મહેનત કરવા છતાં તેને પરીક્ષામાં સારા માર્કસ ન મળે તો આ દિવસે દેવી સરસ્વતીની પૂજા વિધિપૂર્વક કરો. આ સાથે તમારું બાળક જ્યાં ભણે છે તે સ્થાનની પણ માતાનું ધ્યાન કરીને પૂજા કરવી જોઈએ.

(અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)