
Basant Panchami 2023વસંત પંચમીના તહેવારનું હિન્દુ ધર્મમાં ઘણું ધાર્મિક મહત્વ છે. સનાતન પરંપરા અનુસાર વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીની વિશેષ પૂજા કરવામાં આવે છે. આ દિવસે પીળા રંગના વસ્ત્રો, ફૂલ, કંકુ, ધૂપ અને દીવો વગેરે માતાજીને અર્પણ કરવામાં આવે છે. આ વખતે આ તહેવાર આજે એટલે કે 26 જાન્યુઆરી 2023ના રોજ ઉજવવામાં આવી રહ્યો છે. એવું માનવામાં આવે છે કે જે ભક્તો આ દિવસે જ્ઞાનની દેવી સરસ્વતીની પૂજા કરે છે, તેમને જીવનમાં ઝડપથી સફળતા મળે છે. પરંતુ, પૂજા-પાઠ સિવાય પણ કેટલાક એવા કાર્યો છે જે આ દિવસે કરવા જ જોઈએ. તો આવો જાણીએ તે ઉપાયો શું છે.
સરસ્વતી પૂજાનો શુભ સમય 26 જાન્યુઆરીએ સવારે 07.06 થી બપોરે 12.34 સુધીનો રહેશે. આ દિવસે સૌ પ્રથમ સવારે વહેલા ઊઠીને સ્નાન કરો અને પછી મા સરસ્વતીને પીળા ફૂલ અને મીઠાઈઓ અર્પણ કરો. એવું માનવામાં આવે છે કે આ દિવસે પીળા રંગનો વધારેમાં વધારે ઉપયોગ કરવો જોઈએ. તેનાથી માતા જલદી પ્રસન્ન થાય છે.
(અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)