Astrology: ભૂલથી પણ એક સાથે ન પહેરો આ રત્નો , જીવનમાં થઈ શકે છે મોટી ઊથલ પાથલ

|

Oct 11, 2021 | 9:43 AM

કેટલાક એવા રત્નો છે જે એક સાથે ન પહેરવા જોઈએ. આ રત્નોને એક સાથે ધારણ કરવાથી જીવનમાં ઘણી સમસ્યાઓ આવી શકે છે

Astrology: ભૂલથી પણ એક સાથે ન પહેરો આ રત્નો , જીવનમાં થઈ શકે છે મોટી ઊથલ પાથલ
પ્રતિકાત્મક ફોટો

Follow us on

Astrology: જ્યોતિષશાસ્ત્ર (Jyotish shastra) અનુસાર રાશિના રત્નો (Gems) વ્યક્તિના જીવન અને ભાગ્ય પર ઘણો પ્રભાવ પાડે છે. ગ્રહની ખરાબ અસરોને દૂર કરવા માટે લોકો ઘણીવાર રત્ન ધારણ કરે છે. દરેક વ્યક્તિએ પોતાની રાશિ પ્રમાણે રત્ન ધારણ કરવું જોઈએ. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, કેટલાક એવા રત્નો છે જે એક સાથે ન પહેરવા જોઈએ. આ રત્નોને એક સાથે ધારણ કરવાથી જીવનમાં ઘણી સમસ્યાઓ આવી શકે છે. ચાલો જાણીએ કે કયા રત્નો એક સાથે ન પહેરવા જોઈએ –

1 મોતીને ચંદ્રનું રત્ન માનવામાં આવે છે. રત્નશાસ્ત્ર અનુસાર, હીરા (Dimond), નીલમણિ (પન્ના) (emerald gem), ઓનીક્સ, કેટ આઇ સ્ટોન (Cat Eye Stone) અને નીલમ મોતી સાથે ન પહેરવા જોઈએ. જ્યોતિષશાસ્ત્ર અનુસાર આનાથી માનસિક તણાવ વધે છે અને અનિદ્રાનો સામનો કરવો પડી શકે છે.

2 પન્નાને બુધનો રત્ન માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, વ્યક્તિએ પન્ના સાથે ક્યારેય પોખરાજ, કોરલ અને મોતી ન પહેરવા જોઈએ. એવું માનવામાં આવે છે કે આ રત્નોને એક સાથે પહેરવાથી બુધમાંથી ધનનું નુકસાન થઈ શકે છે અને વ્યક્તિને જીવનમાં આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

3 જ્યોતિષ શાસ્ત્ર મુજબ, કેટ આઇ સ્ટોનને કેતુનો રત્ન માનવમાં આવે છે, જેની સાથે માણેક, કોરલ, પોખરાજ અને મોતી ન પહેરવા જોઈએ. એવું કહેવાય છે કે લાહસૂનિયા સાથે આ રત્નો પહેરવાથી જીવનમાં કામ બગડે છે. આ રત્નોને એક સાથે પહેરવાથી વ્યક્તિ ચીડિયા બને છે.

4 નીલમને શનિ ગ્રહનો રત્ન માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિ નીલમ પહેરે છે તો તેણે રૂબી, કોરલ, મોતી અને પોખરાજ ન પહેરવા જોઈએ. આમ કરવાથી જાતકના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. જેના કારણે અકસ્માતો પણ થઈ શકે છે.

5 પોખરાજને ગુરુનો રત્ન માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, હીરા, પન્ના, નીલમ અને ઓનીક્સ પોખરાજ સાથે ન પહેરવા જોઈએ. આ રત્નોને એક સાથે પહેરવાથી વ્યક્તિને જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

6 જ્યોતિષ અનુસાર હીરાને શુક્રનો રત્નને માનવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર, જો કોઈ વ્યક્તિ હીરો પહેરેલો હોય, તો તેણે રૂબી, મોતી, કોરલ અને પોખરાજ ન પહેરવા જોઈએ. આનાથી આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

નોંધ: અહી આપવમાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે. રત્નો ધારણ કરતાં પહેલા કે લેખમાં દર્શાવેલ કોઈ પણ પ્રયોગ કરર્તા પહેલા જે તે વિષયના નિષ્ણાતની સલાહ લેવી

આ પણ વાંચો: Horoscope Today: દૈનિક રાશિફળ, મીન 11 ઓક્ટોબર: ગુસ્સો કરવાને બદલે શાંતિથી મામલો ઉકેલવાનો પ્રયાસ કરો, દિવસ સામાન્ય રહે

આ પણ વાંચો: Upcoming IPO in October : Paytmઅને Policybazaar સહીત 5 કંપનીઓ લાવી રહી છે કમાણીની તક, જાણો વિગતવાર

 

Next Article