GUJARAT : સૌરાષ્ટ્રમાં મેઘરાજા મનમૂકીને વરસ્યા, રાજકોટથી લઈને જૂનાગઢ સુધી મેઘરાજાની કૃપા વરસી

|

Jul 26, 2021 | 8:51 AM

Rainfall in Saurashtra : રાજકોટ, જુનાગઢ , જામનગર, જામજોધપુર અને બોટાદ સહીત સૌરાષ્ટ્રમાં મેઘરાજાની કૃપા વરસી છે.

GUJARAT : સૌરાષ્ટ્ર (Saurashtra) માં મેઘરાજા મનમૂકીને વરસ્યા છે.રાજકોટ (Rajkot) થી લઈને જૂનાગઢ (Junagadh) સુધી મેઘરાજાએ કૃપા વરસાવી છે. રાજકોટના લોધિકા અને માણાવદરમાં ભારે વરસાદ વરસતા નદી-નાળા છલકાઈ ગયા છે.. રાજકોટ શહેરમાં પણ ભારે વરસાદને પગલે ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા.. આતરફ જામનગર અને જામજોધપુર પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ઉપરવાસમાં વરસાદને પગલે જામજોધપુર ગ્રામ્ય પંથકમાં વરસાદી પાણી ભરાયા છે.

સૌરાષ્ટ્રના અન્ય સ્થળોની વાત કરીએ તો, બોટાદ શહેર-જિલ્લાના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. બોટાદ, ગઢડા, ગોરડકા, સેથળી, સાળગપુર ,પાળીયાદ સહિત ગામોમાં વરસાદનું જોર રહ્યું. તો આતરફ ગોંડલ શહેરમાં ભારે વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા.. બીજીતરફ પોરબંદર પંથકમાં પણ મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી.. પોરબંદરના કુતિયાણા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો.. આતરફ રાજકોટના ધોરાજીમાં ભારે વરસાદને પગલે ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા.

Next Video