બોટાદમાં ગઢડાના નિગાળા રેલવે સ્ટેશન નજીક 4 લોકોએ ટ્રેન નીચે પડતું મુકીને આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. ભાવનગરથી ગાંધીગ્રામ જતી ટ્રેન નીચે પડતું મુકી મોત વ્હાલું કર્યું હોવાની પ્રાથમિક માહિતી મળી છે. મૃતકોમાં 2 મહિલા અને 2 પુરૂષો હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો બોટાદમાં તંત્રની લાલિયાવાડી…બે વર્ષથી રોડ બિસ્માર, હજારો લોકોને હાલાકી, જુઓ વીડિયો
ઘટનાની જાણ થતાં બોટાદના રેલવે અધિકારી અને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. જો કે, આત્મહત્યા કેમ કરી તેની પાછળનું કારણ જાણી શકાયું નથી. તો બીજી તરફ પોલીસ દ્વારા મૃતકની ઓળખ અને મોતના કારણ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.
Published On - 8:15 pm, Sun, 31 December 23