વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જાહેર કરવામાં આવેલું ‘મિશન શક્તિ’ છે શું ? જેને સમગ્ર દેશની ધડકન વધારી દીધી

|

Mar 27, 2019 | 8:09 AM

લોકસભાની ચૂંટણી પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટર પર દેશને સંબોધન કરવા અંગે માહિતી આપી હતી જેના પછી મોદીએ મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે, ભારત દુનિયાની ચોથી સૌથી મહાશક્તિ બની ગયું છે. આ પહેલા અમેરિકા, રશિયા અને ચીન જ આવા કારનામા કરી શકતા હતા. આ પણ વાંચો : વડાપ્રધાન મોદીના નિવેદન દરમિયાન શેર બજારમાં થઈ મોટી […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જાહેર કરવામાં આવેલું મિશન શક્તિ છે શું ? જેને સમગ્ર દેશની ધડકન વધારી દીધી

Follow us on

લોકસભાની ચૂંટણી પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટર પર દેશને સંબોધન કરવા અંગે માહિતી આપી હતી જેના પછી મોદીએ મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે, ભારત દુનિયાની ચોથી સૌથી મહાશક્તિ બની ગયું છે. આ પહેલા અમેરિકા, રશિયા અને ચીન જ આવા કારનામા કરી શકતા હતા.

આ પણ વાંચો : વડાપ્રધાન મોદીના નિવેદન દરમિયાન શેર બજારમાં થઈ મોટી ચહલ પહલ

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

વડાપ્રધાન મોદીએ દેશને સંબોધન કરતાં જણાવ્યું કે, આ મિશન અંતર્ગત LEO એટલે કે લો અર્થ ઓરબિટમાં હયાત સેટેલાઇટને તોડી પાડવામાં આવ્યો હતો. ભારત તરફથી કરવામાં આવેલું આ મિશન સફળ રહ્યું હતું. આ મિશનને સફળતાપૂર્વક પાર પાડવા માટે મોદીએ પોતાના સંબોધનમાં DRDOની પ્રશંસા કરી હતી.

શું હોય છે A-LEO?

LEO ધરતીની સૌથી નજીકની કક્ષા હોય છે. આ ધરતીથી ફક્ત 2000 કિલોમીટર ઉપર હોય છે. આ કક્ષામાં જે સેટેલાઇટ્સ સ્થાપિત કરવામાં આવે છે તેનો ઉપયોગ ખાસ કરીને કોમ્યુનિકેશન વગેરે માટે કરવામાં આવે છે.

શું છે એન્ટી સેટેલાઇટ મિસાઈલ?

એન્ટી સેટેલાઇટ વેપન એક એવી મિસાઇલ હોય છે જેના દ્વારા અંતરિક્ષમાં ફરતા સેટેલાઇટને નિશાન બનાવવામાં આવે છે. અત્યાર સુધી બહું ઓછા દેશો પાસે આ ટેક્નોલોજી હતી. મોદીએ જણાવ્યું કે આ મિશન સાથે જ ભારત હવે આ ટેક્નોલોજીમાં મહારથ હાંસલ કરનાર દુનિયાનો ચૌથી દેશ બની ગયો છે.

આ પણ વાંચો : વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રાષ્ટ્ર માટે મહત્વપૂર્ણ સંદેશ, ભારતે અંતરિક્ષમાં ભર્યું મહત્વપૂર્ણ પગલું

શું હોય છે ASAT મિસાઇલ?

ASAT મિસાઇલનો ઉપયોગ અંતરિક્ષમાં સેટેલાઇટ્સને તોડી પાડવા માટે કરવામાં આવે છે. આ એક ખતરનાક હથિયાર છે. આનો ઉપયોગ યુદ્ધ દરમિયાન દુશ્મન દેશોના સેટેલાઇટને નિશાન બનાવવા માટે પણ કરવામાં આવી શકે છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article