પશ્વિમ બંગાળમાં રાજકીય ઘમાસણ ચાલી રહ્યું છે. ત્યારે શારદા ચીટ ફંડ કૌભાંડ કેસ મામલે કોલકતાના પોલીસ કમિશનર રાજીવ કુમારની પૂછતાછ કરવા માટે CBIની ટીમ રવિવાર સાંજે કોલકતા તેમના નિવાસ્થાને પહોંચી હતી. ત્યારે નવો જ વળાંક આવ્યો કોલકાતા પોલીસ દ્વારા CBIના ઓફિસરોની જ અટકાયત કરવામાં આવી હતી.
છેલ્લા થોડાં સમયથી ચીટ ફંડ કૌભાંડના કેસ મામલે પૂછતાછ કરવા માટે અને રોઝ વેલી અને શારદા પોન્ઝી કૌભાંડના કેસમાં તેમની સંડોવણીને લઇને CBIની ટીમ કમિશનર રાજીવ કુમારની શોધખોળ કરી રહી હતી. રાજીવ કુમાર કૌભાંડોની તપાસ કરી રહેલી પોલીસની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની આગેવાની સંભાળી રહ્યા હતા.
નોંધનીય વાત એ છેકે આ કેસમાં કેટલાક દસ્તાવેજો અને ફાઇલો ગાયબ થવા અંગે એજન્સી દ્વારા પૂછપરછ કરવાની અંગેની નોટિસ પણ તેમને મોકલવામાં આવી હતી, પરંતુ તેમણે એજન્સી દ્વારા આપવામાં આવેલી નોટિસોનો જવાબ આપ્યો નહોતો.
આ તરફ મુખ્યમંત્રી મમતાએ ટ્વીટ કર્યું કે, ભાજપ નેતૃત્વ શીર્ષ સ્તર રાજનૈતિક બદલાની ભાવના પર કામ કરી રહ્યું છે. ન માત્ર રાજનૈતિક દળ તેમના નિશાના પર છે પરંતુ પોલીસને નિયંત્રણમાં લેવા અને સંસ્થાઓને બર્બાદ કરવા માટે તે સત્તાનો ખોટો ઉપયોગ કરી રહ્યા છે. અમે તેમીન નીંદા કરીએ છીએ.
The highest levels of the BJP leadership are doing the worst kind of political vendetta. Not only are political parties their targets, they are misusing power
to take control of the police and destroy all institutions. We condemn this 1/2— Mamata Banerjee (@MamataOfficial) February 3, 2019
કોલકાતા ટીમ પાર્ક સ્ટ્રૉક પર પ્રોટોકોલ મુજબ પરવાનગી લેવા ગઇ છે અને અન્ય CBI ટીમ શેક્સપિયર પોલીસ સ્ટેશનમાં છે. સિંઘના કાર્યકાળ દરમિયાન આ કૌભાંડની તપાસ શરૂ થઈ હતી.
રાજીવ કુમાર 1989 બેંચના પશ્ચિમ બંગાળ કેડરના આઈપીએસ અધિકારી છે. ગત અઠવાડીયે તે નિર્વાચન આયોગના અધિકારી સાથે બેઠકમાં પણ સામેલ નહોતા થયા.
Published On - 2:45 pm, Sun, 3 February 19