રાહુલ ગાંધી લડી શકે છે બે બેઠકો પરથી ચૂંટણી, શું કોંગ્રેસ અધ્યક્ષને અમેઠીમાં લાગી રહ્યો હારનો ડર ?

|

Mar 23, 2019 | 10:12 AM

લોકસભાની ચૂંટણીમાં મોટાં નેતાઓ પોતાની લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને બે બેઠકો પરથી ચૂંટણી લડતાં હોય છે. જેના દ્વારા પોતાના પક્ષને પણ ફાયદો પહોંચાડવાનો તેમનો હેતું રહેલો હોય છે. આવી જ કંઇ સ્થિતિ કોંગ્રસ અધ્યક્ષ રાહુલ ગાંધીની પણ જોવા મળી છે. કોંગ્રેસ મહાસચિવ અને કેરળના પૂર્વ મુખ્યમંત્રી ઓમન ચાંડીના નિવેદનથી તેની અટકળો વધી ગઇ છે. ઓમન ચાંડીએ […]

રાહુલ ગાંધી લડી શકે છે બે બેઠકો પરથી ચૂંટણી, શું કોંગ્રેસ અધ્યક્ષને અમેઠીમાં લાગી રહ્યો હારનો ડર ?

Follow us on

લોકસભાની ચૂંટણીમાં મોટાં નેતાઓ પોતાની લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને બે બેઠકો પરથી ચૂંટણી લડતાં હોય છે. જેના દ્વારા પોતાના પક્ષને પણ ફાયદો પહોંચાડવાનો તેમનો હેતું રહેલો હોય છે. આવી જ કંઇ સ્થિતિ કોંગ્રસ અધ્યક્ષ રાહુલ ગાંધીની પણ જોવા મળી છે.

કોંગ્રેસ મહાસચિવ અને કેરળના પૂર્વ મુખ્યમંત્રી ઓમન ચાંડીના નિવેદનથી તેની અટકળો વધી ગઇ છે. ઓમન ચાંડીએ કહ્યું કે રાહુલ ગાંધીને વાયનાડ સીટ પરથી ચૂંટણી લડવાની ભલામણ કરી છે અને તેઓ આજ તેની જાહેરાત કરી શકે છે.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

શા માટે બે બેઠકો પરથી ચૂંટણી ?

કોંગ્રેસ મહાસચિવ ઓમન ચાંડી એ કહ્યું કે કર્ણાટક કોંગ્રેસ કમિટી રાહુલ ગાંધીથી કેરળની કોઇ સીટ પરથી ચૂંટણી લડવાની ભલામણ કરી ચૂકયા છે. તેમણે વાયાનાડથી ચૂંટણી લડવા માટે કહેવામાં આવી રહ્યું છે. તેના પર રાહુલ ગાંધીની પ્રતિક્રિયા આજે કોઇપણ સમય આવી શકે છે.

છેલ્લાં કેટલાક દિવસથી અંદાજો લગાવામાં આવી રહ્યો છે કે રાહુલ ગાંધી આ વખતે બે સીટો પરથી ચૂંટણી લડી શકે છે. આની પહેલાં તેમના મહારાષ્ટ્રના નાંદેડ અને કર્ણાટકની કોઇ સીટ પરથી ચૂંટણી લડવાનો અંદાજો લગાવામાં આવી ચૂકયો છે. વાયનાડ સીટ પરથી કોંગ્રેસ નેતા એમએલ શાહનવાઝ છેલ્લાં બે વખતથી જીતી ચૂકયા છે. આ સીટ 2008મા પરિસીમન બાદ અસ્તિત્વમાં આવી હતી. આ સીટ કન્નૂર, મલાપ્પુરમ અને વાયનાડ સંસદીય ક્ષેત્રોને મળીને બનાવી છે.

આ પણ વાંચો : બિહારના કેટલાક નેતાઓને લાગ્યો ઝટકો, NDAએ જાહેર કરી ઉમેદવારોની યાદી, મોટા દિગ્ગજોના નામ કપાયા જાણો શત્રુધ્ન સિંહાની સાથે શું થયું?

મીડિયા રિપોર્ટ્સના મતે કેરળ કોંગ્રેસના અધ્યક્ષ મુલ્લાપલ્લી રામચંદ્રને પણ રાહુલ ગાંધીને વાયનાડ સીટ પરથી ચૂંટણી લડશે તેવો દાવો કર્યો છે. એક અંગ્રેજી અખબાર સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે કોંગ્રેસ અધ્યક્ષ સાથે છેલ્લાં એક મહિનાથી વાતચીત ચાલી રહી હતી. પહેલાં તેઓ રાજી નહોતા પરંતુ હવે તેઓ માની ગયા છે. સૂત્રોના મતે કોંગ્રેસની યોજના એ છે કે જો રાહુલ ગાંધી એક સીટ પરથી ચૂંટણી લડે છે તો તેમની આસપાસની સીટો પર પણ માહોલ બનશે અને કોંગ્રેસને બઢત મળી શકશે.

ખાસ કરીને દક્ષિણ ભારતમાં જો રાહુલ પોતાની હાજર નોંધાવે છે તો હિન્દી પટ્ટીમાં નબળી દેખાઇ રહેલ કોંગ્રેસ એક બાજુથી ભરપાઇની સ્થિતિમાં આવી શકે છે. 2014ની લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસી અને વડોદરાની બે લોકસભા સીટ પરથી ચૂંટણી લડી હતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article