Suratમાં AAPના કોર્પોરેટરોએ મનપા સંચાલિત ગાર્ડનનું જાતે જ નામકરણ કરી દીધું. વાત છે કે, વોર્ડ નંબર-17ની કે જ્યાં પુણા સીમાડા વિસ્તારમાં આવેલા ગાર્ડનને તેમણે પાટીદાર ગાર્ડન નામ આપી દીધું એટલું જ નહિં, AAPના કોર્પોરેટરોએ કહ્યુ કે, લોકોની લાગણીને ધ્યાનમાં રાખીને તેમણે આ નામકરણ કર્યુ છે. આવનારા દિવસોમાં લોકોના કામ વધુ ઉત્સાહથી કરવાની ખાતરી પણ આપી હતી. હવે આ મુદ્દે ભાજપ કેવા પ્રકારનું સ્ટેન્ડ લે છે તેના પર બધાની નજર ટકી છે.