ગોવામાં મંગળવાર મોડી રાત્રે મહારાષ્ટ્રવાદી ગોમાંતક પાર્ટી (MGP)ના બે ધારાસભ્યો ભાજપમાં સામેલ ગઈ ગયા. 40 સભ્યોની વિધાનસભામાં હવે ભાજપના 14 ધારાસભ્ય થઈ ગયા છે. જેનાથી કોંગ્રેસની મુશ્કેલી વધી ગઈ છે.
એમજીપી ધારાસભ્ય મનોહર અજગાંવકર અને દીપક પાવસકરે ધારાભ્ય દળને ભાજપમાં વિલય કરવા માટે એક પત્ર આપ્યો, જેને ગોવા વિધાનસભા અધ્યક્ષ માઇકલ લોબોએ 1.45 વાગ્યે મંજૂરી આપી. જોકે, MGPના ત્રીજા ધારાસભ્ય સુદીન ગવલકરે પત્ર પર સહી નથી કરી.
આ પણ વાંચો : ‘સાસુ હોય તો નીતા અંબાણી જેવી’, પુત્રવધુ શ્લોકાને દુનિયાનો સૌથી મોંઘો રૂ. 300 કરોડનો હાર ભેટમાં આપ્યો !
મનોહર અજગાંવકર રાજ્ય સરકારમાં પર્યટન મંત્રી છે અને ધવલિકર ડેપ્યુટી સીએમ છે. ત્રણમાંથી બે ધારાસભ્યોએ વિલય કર્યો છે, જેનાથી તેઓ પક્ષપલટા વિરોધી કાયદાથતી બચી જશે. પક્ષપલટો કાયદા મુજબ, જો બે તૃતીયાંશ સંખ્યા વિલય માટે સહમત હોય તો આ લાગુ નથી થતું.
અગાઉ એમજીપીએ મંગળવારે કહ્યું હતું કે, ‘અમારા પ્રતિદ્વંદ્વી’ એવું ‘કાવતરું’ રચી રહ્યા છે જેનાથી તેઓ ગોવામાં ભાજપની આગેવાનીવાળી સરકારથી સંબંધ તોડીને નવી સરકાર બનાવવા માટે કોંગ્રેસનું સમર્થન કરી શકે છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]