“બંગાળ હિંસામાં માર્યા ગયેલા લોકોના પરિવારને સહાય”, જાણો આ ઘોષણા સાથે મમતાએ શું લગાવ્યા આરોપ

|

May 06, 2021 | 5:11 PM

સીએમ મમતા બેનર્જીએ કહ્યું કે રાજકીય હિંસામાં 16 લોકોના મોત થયા છે. તેમાંથી અડધા ભાજપના છે અને અડધા ટીએમસીના સમર્થક છે, જ્યારે એક સંયુક્ત મોરચાનો સમર્થક છે.

બંગાળ હિંસામાં માર્યા ગયેલા લોકોના પરિવારને સહાય, જાણો આ ઘોષણા સાથે મમતાએ શું લગાવ્યા આરોપ
CM Mamata Banerjee

Follow us on

પશ્ચિમ બંગાળ (West Benal) ના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રાજકીય હિંસામાં માર્યા ગયેલા લોકોના પરિવારોને 2 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે. સીએમ મમતા બેનર્જીએ 6 મે એટલે કે આજે નબાન્નમાં પત્રકારોને સંબોધન કરતાં કહ્યું કે રાજકીય હિંસામાં 16 લોકોના મોત થયા છે. તેમાંથી અડધા ભાજપના છે અને અડધા ટીએમસીના સમર્થક છે, જ્યારે એક સંયુક્ત મોરચાનો સમર્થક છે. તેમણે કહ્યું કે સરકાર જાતી અને ધર્મ આધારે ભેદભાવ રાખતી નથી, પરંતુ બધાને એકસરખી જુએ છે.

સીએમ મમતા બેનર્જીએ કહ્યું કે 24 કલાક પહેલા શપથ લેવામાં આવ્યા હતા. તે બાદ જ જ કેન્દ્રીય ટીમને મોકલવામાં આવી છે. નકલી વીડિયો આપવામાં આવી રહ્યા છે. પત્ર આપવામાં આવી રહ્યા છે. નકલી વીડિયો બહાર પાડવામાં આવી રહ્યા છે. બંગાળને બદનામ કરવામાં આવી રહ્યું છે. બંગાળની માતા અને બહેનોનું માન મારા માટે હિમાલય કરતાં પણ વધારે છે. માતાઓ અને બહેનોના સમ્માનનું અપમાન સહન નહીં થાય.

કેન્દ્રીય પ્રધાન ભડકાવવાનું બંધ કરો

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

સીએમ મમતા બેનર્જીએ કહ્યું હતું કે જો કોઈ દંગા ફેલાવવાનો પ્રયાસ કરશે તો તેને સહન કરવામાં આવશે નહીં. તેમણે કહ્યું કે મંત્રી પોતે પ્રોત્સાહિત કરી રહ્યા છે. જો કેન્દ્રીય મંત્રી પોતે ભડકાવશે, તો કેવી રીતે ચાલશે? આસામમાં બંગાળના લોકોના સ્થળાંતર અંગે સીએમ મમતા બેનર્જીએ કહ્યું કે ભાજપ હાર પચાવવામાં અસમર્થ છે. ભાજપના કેન્દ્રીય નેતૃત્વ દ્વારા તમામ મુખ્યમંત્રીઓને આવી અફવાઓ ફેલાવવા સૂચના આપવામાં આવી છે.

 

આ પણ વાંચો: શું ખરેખર 5G ટેસ્ટીંગના કારણે મરી રહ્યા છે લોકો? કોરોનાની બીજી લહેરનું કારણ છે 5G? જાણો શું છે સત્ય

આ પણ વાંચો: Corona Update: બીજી લહેરનો કહેર અને ત્રીજીનો ડર, શું લોકડાઉન લગાવશે મોદી સરકાર?

Next Article