આમ આદમી પાર્ટી (Aam Admi Party) ના રાષ્ટ્રીય સંયોજક તેમજ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ (Aravind Kejriwal) એક દિવસના ગુજરાત પ્રવાસે આવનાર છે. 14 જૂનના રોજ સવારે 10 વાગ્યા આસપાસ તેઓ અમદાવાદ એરપોર્ટ પર પહોચશે. એરપોર્ટથી તેઓ સર્કીટ હાઉસ અને ત્યાંથી વલ્લભ સદન જશે. આશ્રમ રોડ પર આવેલા વલ્લભસદન ખાતે અરવિંદ કેજરીવાલ પત્રકાર પરિષદને સંબોધન કરશે.
AAP પ્રદેશ કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે
આમ આદમી પાર્ટી ( Aam Admi Party) ના રાષ્ટ્રીય સંયોજક તેમજ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ (Aravind Kejriwal) આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે. AAPનું ગુજરાત પ્રદેશ કાર્યાલય અમદાવાદમાં આશ્રમરોડ પર માઉન્ટ કાર્મેલ સ્કુલની પાછળ બનાવવામાં આવ્યું છે.
AAP માં થશે ‘ભરતી’ ?
અરવિંદ કેજરીવાલ (Aravind Kejriwal) દ્વારા આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ કાર્યાલયના ઉદ્ઘાટન સાથે ગુજરાત AAP માં ઘણા લોકો જોડાય તેવી સંભાવના છે. આવા લોકોમાં સ્થાનિક પાર્ટીઓમાંથી અસંતુષ્ટ લોકો તેમજ વિદ્યાર્થી – યુવા પાંખના અસંતુષ્ટ કાર્યકરો AAP માં જોડાઈ શકે તેવી શક્યતાઓ છે. આ ઉપરાંત કેટલાક જાણીતા ચેહરાઓ પણ AAP માં જોડાય તેવી પૂર્ણ સંભાવનાઓ છે.
ગુજરાત આગમન પહેલા ગુજરાતીમાં ટ્વીટ કર્યું
દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ (Aravind Kejriwal) એ ગુજરાત આગામન પહેલા ગુજરાતીમાં ટ્વીટ કર્યું છે. આ ટ્વીટમાં તેમણે લખ્યું છે –
“Arriving in Gujarat tomorrow to meet everyone” – #Delhi CM @ArvindKejriwal ahead of #Gujarat visit #TV9News pic.twitter.com/ECLi2Kh1IQ
— tv9gujarati (@tv9gujarati) June 13, 2021
Published On - 9:08 pm, Sun, 13 June 21