
વકીલો અને ન્યાયાધીશોના કાળા કોટ પહેરવા પાછળ એક ઐતિહાસિક કારણ પણ છે. વર્ષ 1694માં બ્રિટનની રાણી મેરી દ્વિતીયનું શીતળાના કારણે અવસાન થયું હતું. ત્યારે તેના પતિ વિલિયમે તમામ ન્યાયાધીશોને કાળા કપડા પહેરીને અંતિમ સંસ્કારમાં આવવા કહ્યું હતું કારણ કે પશ્ચિમી દેશોમાં કાળો રંગ ઉદાસીનું પ્રતીક છે.

આગામી કેટલાક વર્ષો સુધી રાષ્ટ્રીય શોક ચાલુ રહ્યો અને ન્યાયાધીશોએ કાળો પોશાક પહેરીને કોર્ટમાં જવાનું શરૂ કર્યું. ત્યારથી કોર્ટમાં કાળો કોટ પહેરવામાં આવતો હોવાનું પણ એક કારણ માનવામાં આવે છે. (Image - Freepik)