
રાજકોટના આ મંદિર પર લોકોની આસ્થા અડગ છે. માન્યતા છે કે આ મંદિરે દર્શન કરી માનતા રાખનારની મનની ઇચ્છા પૂર્ણ થાય છે. આ મંદિરની પ્રખ્યાતી વિદેશ સુધી ફેલાયેલી છે. જીવંતિકા માતાની માનતા વિદેશમાં વસતા પરિવારો પણ રાખે છે અને માનતા પુરી થયા બાદ અહીં વિદેશથી ચોકલેટ, બિસ્કિટના પાર્સલ મોકલવામાં આવે છે. જે માતાજીને ધરાવી પ્રસાદ તરીકે વિતરણ કરવામાં આવે છે. મંદિરમાં રોજ અલગ અલગ પ્રસાદ ધરવામાં આવે છે.

પ્રેરણાદાયી વાત એ છે કે માતાજીને ધરાવવામાં આવતો આ અનોખો પ્રસાદ સરકારી સ્કુલના બાળકોને વહેંચવામાં આવે છે, આ અનોખો પ્રસાદ ખાઇ બાળકો પણ ખુશ થાય છે.
Published On - 5:25 pm, Sun, 13 August 23