
અંડરવર્લ્ડ ડોન અને મુંબઈ બોમ્બ બ્લાસ્ટનો આરોપી દાઉદ ઈબ્રાહીમ ઘણા વર્ષોથી ફરાર છે અને પાકિસ્તાનમાં છુપાયેલો છે. હવે મહારાષ્ટ્ર સરકાર તેના પર વધુ એક મોટી કાર્યવાહી કરવા જઈ રહી છે. મુંબઈ અને રત્નાગીરીમાં દાઉદની પ્રોપર્ટીની 5 જાન્યુઆરીએ હરાજી થવા જઈ રહી છે. આ અંગે સરકારે નોટિસ પણ જારી કરી છે.

રત્નાગીરીના ઘેડ તાલુકામાં એક બંગલો અને કેરીના બગીચા સહિત ચાર મિલકતોને તસ્કરી અને ફોરેન એક્સચેન્જ મેનીપ્યુલેશન એક્ટ (SAFEMA) હેઠળ જપ્ત કરવામાં આવી હતી.

તમને જણાવી દઈએ કે આ પહેલા પણ મહારાષ્ટ્ર સરકારે દાઉદના પરિવારની ઘણી સંપત્તિઓની ઓળખ કરીને તેની હરાજી કરવાની પ્રક્રિયા પૂર્ણ કરી છે.

સરકારે અગાઉ દાઉદ ઈબ્રાહિમના પરિવારની અનેક મિલકતોની ઓળખ કરી છે. જેમાં રૂ.4.53 કરોડમાં વેચાયેલી રેસ્ટોરન્ટ, રૂ.3.53 કરોડમાં વેચાયેલા છ ફ્લેટ અને રૂ.3.52 કરોડમાં વેચાયેલા ગેસ્ટ હાઉસનો સમાવેશ થાય છે.

ડિસેમ્બર 2020માં રત્નાગીરીમાં દાઉદ ઈબ્રાહિમની મિલકત, જેમાં બે પ્લોટ અને એક બંધ પેટ્રોલ પંપનો સમાવેશ થાય છે, તેની રૂ.1.10 કરોડમાં હરાજી કરવામાં આવી હતી.
Published On - 9:40 pm, Wed, 3 January 24