પહેલગામ હુમલાનો અસલી ગુનેગાર નીકળ્યો પહાડી વિસ્તારોનો ગાઈડ, ખૂણા-ખૂણાથી હતો વાકેફ

જમ્મુ અને કાશ્મીરના પહેલગામ હુમલા અંગે એક નવો ખુલાસો થયો છે. NIA સૂત્રોના જણાવ્યા અનુસાર, પહેલગામ આતંકવાદી હુમલામાં આતંકવાદી ફારૂક અહેમદનું નામ સામે આવ્યું છે. હવે કાશ્મીરના પહાડી વિસ્તારનો ગાઈડ હોવાનું સામે આવ્યું છે.

પહેલગામ હુમલાનો અસલી ગુનેગાર નીકળ્યો પહાડી વિસ્તારોનો ગાઈડ, ખૂણા-ખૂણાથી હતો વાકેફ
real culprit of pahalgam attack
| Updated on: May 02, 2025 | 4:57 PM

જમ્મુ અને કાશ્મીરમાં પહેલગામ હુમલા અંગે એક નવો ખુલાસો થયો છે. NIA સૂત્રોના જણાવ્યા અનુસાર, પહેલગામ આતંકવાદી હુમલામાં આતંકવાદી ફારૂક અહેમદનું નામ સામે આવ્યું છે. આતંકવાદીઓએ પહેલગામ હુમલા માટે ઓવરગ્રાઉન્ડ વર્કર્સનું નેટવર્ક બનાવ્યું હતું, જેમણે FT હુમલામાં સામેલ પાકિસ્તાની આતંકવાદીઓને મદદ કરી હતી. ફારૂક લશ્કરનો ટોચનો કમાન્ડર છે અને PoKમાં છુપાયેલો છે.

કાશ્મીરના ખૂણા-ખૂણાથી હતો વાકેફ

છેલ્લા બે વર્ષમાં, આ આતંકવાદીના ઓવરગ્રાઉન્ડ વર્કર્સની મદદથી ઘણા આતંકવાદી હુમલા કરવામાં આવ્યા છે. સૌથી કાયર આતંકવાદી હુમલો પહેલગામનો છે. તે પાકિસ્તાનના ત્રણ સેક્ટરમાંથી કાશ્મીરમાં ઘૂસણખોરી કરે છે. તેને ખીણના પર્વતીય માર્ગોનું ખૂબ સારું જ્ઞાન છે.

એપ દ્વારા પાકિસ્તાન નેટવર્ક સાથે વાત કરી રહ્યો હતો

કુપવાડાના રહેવાસી આ આતંકવાદીનું ઘર થોડા દિવસો પહેલા સુરક્ષા દળોએ જમીનદોસ્ત કરી દીધું હતું. 1990 થી 2016 સુધી, તે સતત પાકિસ્તાન અને ભારતમાં આવતો-જતો રહ્યો છે. પહેલગામ આતંકવાદી હુમલા પછી, તેના ઘણા સાથીઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. છેલ્લા બે વર્ષથી, તે એક સુરક્ષિત એપ દ્વારા પાકિસ્તાનમાં બેઠેલા તેના નેટવર્કના લોકો સાથે વાત કરી રહ્યો છે.

આતંકવાદી હુમલામાં 26 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા

જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે. કેસની તપાસ ઝડપથી ચાલી રહી છે. આ ઘટનાને લઈને આખા દેશ પાકિસ્તાનની આ નાપાક હરકતથી ગુસ્સે છે તેમત સરકાર પણ પાકિસ્તાન વિરુદ્ધ આકરા પગલા લઈ રહી છે ત્યારે આ ઘટના બાદ ભારત પાકિસ્તાને વળતો જવાબ જરુર આપશે.

 

Published On - 11:26 am, Wed, 30 April 25