રાજસ્થાનમાં ગુર્જર થયા લાલઘુમ, કરોડોની સરકારી સંપત્તિને નુકસાન, ગેહલોત સરકાર બની મુક દર્શક

|

Feb 10, 2019 | 1:47 PM

રાજસ્થાનમાં ગુર્જર સમાજે અનામત માટે શરૂ કરેલા આંદોલનમાં આજે હિંસા થઈ હતી. ધોલપુર હાઈવે પર પોલીસ અને દેખાવકારો વચ્ચે અથડામણ થયા બાદ હિંસા ફાટી નીકળી હતી. જેમાં દેખાવકારોએ રસ્તો રોકી દીધો હતો અને વાહનોને આગ ચાંપી હતી. છેલ્લાં લાંબા સમયથી ગુર્જર સમુદાયનાં લોકોએ અનામતની માગણીના ટેકામાં આજે સતત ત્રીજા દિવસે પણ એમનું આંદોલન ચાલુ રાખ્યું […]

રાજસ્થાનમાં ગુર્જર થયા લાલઘુમ, કરોડોની સરકારી સંપત્તિને નુકસાન, ગેહલોત સરકાર બની મુક દર્શક

Follow us on

રાજસ્થાનમાં ગુર્જર સમાજે અનામત માટે શરૂ કરેલા આંદોલનમાં આજે હિંસા થઈ હતી. ધોલપુર હાઈવે પર પોલીસ અને દેખાવકારો વચ્ચે અથડામણ થયા બાદ હિંસા ફાટી નીકળી હતી. જેમાં દેખાવકારોએ રસ્તો રોકી દીધો હતો અને વાહનોને આગ ચાંપી હતી.

છેલ્લાં લાંબા સમયથી ગુર્જર સમુદાયનાં લોકોએ અનામતની માગણીના ટેકામાં આજે સતત ત્રીજા દિવસે પણ એમનું આંદોલન ચાલુ રાખ્યું હતું અને સવાઈ માધોપુર જિલ્લામાં તેઓ રેલવેના પાટા પર બેસી ગયા હતા અને ટ્રેનવ્યવહાર અટકાવી દીધો હતો. દેખાવકારો પાટા પર બેસી ગયા હતા.

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

કેટલાંક સ્થાનો પર દેખાવકારોએ પાટામાંથી ફિશપ્લેટ્સ કાઢી નાખવાની પણ ઘટના બની હોવાનું કહેવાય છે. રેલવે વિભાગે સુરક્ષાની તકેદારી રાખીને ત્રણ ટ્રેન રદ કરવાની અને એક ટ્રેનનો માર્ગ વાળવાની ફરજ પડી હતી.

આ તરફ ગુર્જર આરક્ષણ સંઘર્ષ સમિતિના વડા કિરોડીસિંહ બૈંસલા અને એમના સમર્થકો ગયા શુક્રવારની સાંજથી રેલ-રોકો અને રસ્તા-રોકો આંદોલને ઉતર્યા છે. છેલ્લા બે દિવસમાં પશ્ચિમ મધ્ય રેલવેને આશરે 200 જેટલી ટ્રેનોને રદ કરવી પડી છે અથવા તો ડાયવર્ટ કરવી પડી છે અથવા એમની સફર અધવચ્ચેના સ્ટેશને જ સમાપ્ત કરી દેવાની ફરજ પડી છે.

આ પણ વાંચો : બે છોકરીઓએ મોદીને લઈને બનાવ્યું એવું PARODY ગીત કે ભાજપ સમર્થક આવી ગયા ગેલમાં, વાયરલ વીડિયો 

અત્રે નોંધનીય છે કે 26 ઓક્ટોબર 2018ના રાજસ્થાન સરકારે એક ખરડો પાસ કર્યો હતો જેમાં અધર બેકવર્ડ ક્લાસીસ (OBC) ક્વોટાને 21 ટકાથી વધારીને 26 ટકા કર્યો હતો. 2018ના ડિસેમ્બરમાં રાજ્ય સરકારે ગુર્જર સમાજ માટે તેમજ ચાર OBC વર્ગો માટે એક ટકા અનામતને મંજૂરી આપી હતી.

[yop_poll id=1284]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article