જમ્મુ કાશ્મીરમાં હોળીના દિવસે 4 એન્કાઉન્ટરની ઘટના બની, હાલમાં શોપિયાંમાં સુરક્ષા જવાનો અને આતંકીઓ વચ્ચે મુઠભેડ ચાલુ

જ્યારે સમગ્ર દેશમાં હોળીની ઉજવણી થઈ રહી હતી ત્યારે છેલ્લાં 24 કલાકમાં જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા જવાનોના આતંકવાદીઓ સાથે મુઠભેડની ઘટના સામે આવી છે. હાલમાં શોપિયાં જિલ્લાના ઇમામ સાહેબમાં શરૂ થયેલા આતંકવાદી મુઠભેડમાં એક ઘરમાં 2-3 આતંકવાદી છુપાયા હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ પહેલાં બારામૂલામાં 2 આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. જેમાં એક અધિકારી સહિત […]

જમ્મુ કાશ્મીરમાં હોળીના દિવસે 4 એન્કાઉન્ટરની ઘટના બની, હાલમાં શોપિયાંમાં સુરક્ષા જવાનો અને આતંકીઓ વચ્ચે મુઠભેડ ચાલુ
| Updated on: Mar 22, 2019 | 2:31 AM

જ્યારે સમગ્ર દેશમાં હોળીની ઉજવણી થઈ રહી હતી ત્યારે છેલ્લાં 24 કલાકમાં જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા જવાનોના આતંકવાદીઓ સાથે મુઠભેડની ઘટના સામે આવી છે. હાલમાં શોપિયાં જિલ્લાના ઇમામ સાહેબમાં શરૂ થયેલા આતંકવાદી મુઠભેડમાં એક ઘરમાં 2-3 આતંકવાદી છુપાયા હોવાનું માનવામાં આવી રહ્યું છે.

આ પહેલાં બારામૂલામાં 2 આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. જેમાં એક અધિકારી સહિત ત્રણ સેના જવાન ઇજાગ્રસ્ત થયા છે. બારામૂલાના કલંતારા વિસ્તારમાં નમબલનાર અભિયાનમાં 2 આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે.

બારામૂલામાં હોળીના દિવસે જ આતંકવાદીઓએ ગ્રેનેડથી હુમલો કર્યો હતો. જ્યારે વિસ્તારમાં તપાસ ચાલી રહી હતી અને ત્યાં ઘેરાબંદી કરવામાં આવી હતી. જે પછીના થોડાં જ સમયમાં સોપોરમાં પણ આતંકવાદીઓને સીઆરપીએફ કેમ્પ પર હુમલો બોલ્યો હતો.

આ પણ વાંચો : ગાંધીનગરની સીટ પર ચાણક્યની એન્ટ્રી તો ભિષ્મ-પિતામહની એક્ઝીટ, જાણો અમિત શાહને ગાંધીનગરથી ચૂંટણી લડાવવાના નિર્ણયથી ભાજપને કેટલો ફાયદો થશે અને કેટલું નુકસાન?

જો કે તમામ ઘટનામાં સેના જવાનો કે સીઆરપીએફના જવાનો ઇજાગ્રસ્ત થયા નથી તેવી માહિતી સામે આવી રહી છે. છેલ્લાં થોડાં દિવસોથી રાજ્યમાં ફરી એક વખત આતંકીઓની પ્રવૃતિ વધી રહી છે. જેને ડામવા સેના અને સુરક્ષા જવાનોએ કમર કસી લીધી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]