Gujarati NewsNationalKashmir terror financing multiple properties in jammu and kashmir islamabad identified for attachment
ટેરર ફંડ પર સરકારની કાશ્મીર ઘાટીમાં મોટી કાર્યવાહી, 11 અલગતાવાદી નેતાઓની સંપ્તિ જપ્ત કરવાની શરૂઆત થઈ
કેન્દ્ર સરકારે ટેરર ફંડના પર મોટાં પગલાં ભરવાનો નિર્ણય લીધો છે. જેમાં કાશ્મીરમાં અલગતાવાદી હુર્રિયત નેતાઓની સીધી સંપત્તિ જપ્ત કરવાનો જ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં પણ આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના નાણાંની મદદથી બનાવવામાં આવેલી હુર્રિયત નેતાઓની સંપ્તિ જપ્ત કરવામાં આવશે. આ માટે 11 જેટલાં હુર્રિયત નેતાઓ પર સરકારે ટાર્ગેટ કર્યો છે. જેમાં નેતાઓ પર આતંકી […]
Follow us on
કેન્દ્ર સરકારે ટેરર ફંડના પર મોટાં પગલાં ભરવાનો નિર્ણય લીધો છે. જેમાં કાશ્મીરમાં અલગતાવાદી હુર્રિયત નેતાઓની સીધી સંપત્તિ જપ્ત કરવાનો જ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં પણ આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના નાણાંની મદદથી બનાવવામાં આવેલી હુર્રિયત નેતાઓની સંપ્તિ જપ્ત કરવામાં આવશે.
આ માટે 11 જેટલાં હુર્રિયત નેતાઓ પર સરકારે ટાર્ગેટ કર્યો છે. જેમાં નેતાઓ પર આતંકી ફંડના નામે કરોડોની સંપ્તિ બનવવાનો આરોપ લાગી રહ્યો છે. જેમાં હુર્રિયત નેતા સૈયદ અલી શાહ ગિલાનીના જમાઈનું પણ નામ સામેલ કરવામાં આવ્યું છે.
લશ્કરના પ્રમુખ હાફિઝ સઇદના પૈસાથી હુર્રિયત નેતાઓએ પોતાની સંપ્તિ બનાવી છે જેના પર સરકાર ટાર્ગેટ કરવા માંગે છે. જેમાં તમામ હુર્રિયત નેતાઓની પ્રોપર્ટી હવે જપ્ત કરવામાં આવશે. આ માટે ભારત સરકારે પાકિસ્તાન હાઇ કમિશ્ન અને ISI નો હાથ હોવાનું પણ સામે આવી રહ્યું છે. જેના નામ પર ફંડિંગ થઈ રહ્યું છે.
સૈયદ અલી શાહ ગિલાનીની કાશ્મીર ઘાટીમાં કરોડો રૂપિયાની સંપત્તિ રહેલી છે. તેમજ ઘણાં અલગતાવાદી નેતાઓની પણ સંપ્તિ રહેલી છે. જેમનું ફંડ પાકિસ્તાનમાં રહેલા આતંકવાદી સંગઠનનો તરફથી કરવામાં આવ્યું હોવાનું સામે આવી રહ્યું છે. જેના પર સરકાર સીધા પગલાં ભરવા જઇ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે.