Galwan Ke Veer : ગલવાનના વીરોની યાદમાં સેનાએ જાહેર કરેલું Video સોંગ જોઈ આંખો છલકાઈ જશે!

|

Jun 15, 2021 | 11:11 PM

ગલવાન ખીણમાં સંઘર્ષને 15 જૂન મંગળવારે એક વર્ષ પૂર્ણ થયું. ભારતીય સેના (Indian Army) ના જાંબાઝ સૈનિકોની યાદમાં Galwan Ke Veer ગીત પ્રખ્યાત ગાયક હરિહરને ગાયું છે.

Galwan Ke Veer : ગલવાનના વીરોની યાદમાં સેનાએ જાહેર કરેલું  Video સોંગ જોઈ આંખો છલકાઈ જશે!
ભારતીય સેનાએ જાહેર કર્યું Galwan Ke Veer ગીત

Follow us on

Galwan Ke Veer : ભારતીય સેનાએ પૂર્વી લદ્દાખમાં ચીની સૈનિકો સાથે ગેલવાન ખીણની અથડામણમાં પોતાનો જીવ ગુમાવનારા ભારતીય સેના (Indian Army) ના જવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટે એક Video ગીત રજૂ કર્યું છે. પાંચ મિનિટની આ વિડિઓમાં ભારતના વીર સૈનિકોની બરફથી ઢંકાયેલા પર્વત શિખરો પર, 24 કલાક પેટ્રોલિંગ, તેમની તાલીમ અને કોઈપણ જોખમનો સામનો કરવાની તેમની કામગીરીની તૈયારીઓની ઝલક દેખાય છે.

 

પ્રખ્યાત ગાયક હરિહરને ગાયું ગીત
ગલવાન ખીણમાં સંઘર્ષને 15 જૂન મંગળવારે એક વર્ષ પૂર્ણ થયું. ભારતીય સેના (Indian Army) ના જાંબાઝ સૈનિકોની યાદમાં Galwan Ke Veer ગીત પ્રખ્યાત ગાયક હરિહરને ગાયું છે. આ ગીતમાં પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિમાં ગાલવાન ખીણનું રક્ષણ કરતી વખતે વીરગતિ પ્રાપ્ત કરનારા ભારતીય સૈનિકોની બહાદુરી અને હિંમતને દર્શાવવામાં આવી છે. આ પ્રસંગે ભારતીય સેનાએ કહ્યું હતું કે સૈનિકોનું સર્વોચ્ચ બલિદાન હંમેશા રાષ્ટ્રના સ્મરણમાં રહેશે.

પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન

ગલવાન ખીણમાં શહીદ થયેલ કર્નલ બાબુની પ્રતિમાનું અનાવરણ
તેલંગાણાના મંત્રી કે.ટી.રમારાવે મંગળવારે પૂર્વી લદ્દાખની ગલવાન ખીણમાં ચીની સેના દ્વારા કરવામાં આવેલા હુમલામાં શહીદ થયેલ કર્નલ સંતોષ બાબુની કાંસાની પ્રતિમાનું અનાવરણ કર્યુ હતું. કર્નલ બાબુ રાજ્યની રાજધાની હૈદરાબાદથી આશરે 140 કિમી દૂર આવેલા સૂર્યપેટના રહેવાસી હતા. ગયા વર્ષે 15 જૂનના રોજ ગેલવાન ખીણમાં ચીની સૈનિકો સાથેની ભીષણ અથડામણમાં 20 ભારતીય જવાનો શહીદ થયા હતા, જેમાં કર્નલ બાબુ પણ એક હતા. તે 16 બિહાર રેજિમેન્ટના કમાન્ડિંગ ઓફિસર હતા.

દેશે ગાલવાનના વીરોને યાદ કર્યા
ભારતે મંગળવારે ગલવાનના વીર (Galwan Ke Veer) જવાનોને યાદ કર્યા જેમણે એક વર્ષ પહેલા પૂર્વી લદ્દાખમાં ચીની આક્રમણનો સામનો કરી પોતાના પ્રાણ આપ્યા હતા અને આ પ્રસંગે ગલવાનના બહાદુર સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.ભારતીય સેના (Indian Army) એ કહ્યું, “તેમની વીરતા અને બહાદુરી હંમેશા રાષ્ટ્રની સ્મૃતિમાં કંડારાયેલી રહેશે”. આર્મી ચીફ જનરલ એમ.એમ. નરવણેએ જીવલેણ અથડામણની પ્રથમ વર્ષગાંઠ પર 20 સૈનિકોને શ્રધ્ધાંજલિ આપવા દળની આગેવાની કરી હતી.

આ પણ વાંચો : Robot Shalu : અંગ્રજી સહીત 9 ભાષાઓમાં સવાલોના ફટાફટ જવાબ આપે છે સ્વદેશી રોબોટ ‘શાલુ’

Next Article