શું ખરેખર ગાયનું છાણ અને ગૌમૂત્ર બચાવે છે કોરોનાથી? જાણો શું કહેવું છે ડોક્ટર્સનું

|

May 12, 2021 | 3:13 PM

કેટલાક લોકો ગૌશાળા પર જઇને યેમના શરીર ઉપર ગાયનું છાણ લગાવી રહ્યા છે અને ગૌ મૂત્ર પી રહ્યા છે. આ લોકો માને છે કે આ કોરોના સામેની લડતમાં ઈમ્યુંનિટી મજબૂત કરી શકે છે.

શું ખરેખર ગાયનું છાણ અને ગૌમૂત્ર બચાવે છે કોરોનાથી? જાણો શું કહેવું છે ડોક્ટર્સનું
cow dung therapy (Image - PTI)

Follow us on

ભારતમાં કોરોના વાયરસ રોગચાળાની બીજી લહેરની સૌથી વધુ અસર જોવા મળી છે અને હવે લોકો શહેરો તેમજ ગામડાઓમાં પણ આ વાયરસથી પીડાઈ રહ્યા છે. આને કારણે, ઘણા લાચાર લોકો વાયરસને નાબૂદ કરવા માટે વિવિધ પગલાં અપનાવી રહ્યા છે. જો કે ડોકટરોએ તેમને સતત આ પગલાંથી દૂર રહેવાનું કહ્યું છે.

ગુજરાતમાં કેટલાક લોકો ગૌશાળા પર જઇને યેમના શરીર ઉપર ગાયનું છાણ લગાવી રહ્યા છે અને ગૌ મૂત્ર પી રહ્યા છે. આ લોકો માને છે કે આ કોરોના સામેની લડતમાં ઈમ્યુંનિટી મજબૂત કરી શકે છે અને કોરોના વાયરસની સ્થિતિમાં, તેઓ પોતાને આ ખતરનાક વાયરસથી સુરક્ષિત કરી શકે છે.

ફાર્મા કંપનીના એસોસિયેટ મેનેજર ગૌતમ મણીલાલ બોરીસાએ આ મામલે ખાનગી સમાચાર સંસ્થા સાથે વાત કરતાં કહ્યું કે ઘણા ડોકટરો પણ ગૌશાળાઓમાં આવે છે. તેઓ એવું પણ માને છે કે ગાયના છાણ અને પેશાબથી રોગપ્રતિકારક શક્તિમાં સુધારો થાય છે અને તેઓ કોવિડ દર્દીઓની આ પછી કોઇ પણ પ્રકારના ભય વિના સારવાર કરવામાં સક્ષમ છે.

SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

ગૌતમે એમ પણ કહ્યું હતું કે તેઓ ગુરુકુલમાં જઈને આ ‘થેરેપી’નો પ્રયોગ કરી રહ્યા છે. ગૌતમનો દાવો છે કે તે ગયા વર્ષે કોરોના પોઝિટિવ થયા હતા, પરંતુ આ તકનીકની મદદથી તે આ ખતરનાક વાયરસને હરાવી શક્યા.

ગૌશાળા ગયા પછી આ લોકો ગાયોને ગળે લગાવીને પોતાના શરીર પર છાણ લગાવે છે અને પછી યોગ કરે છે. જો કે, ભારતના ઘણા ડોકટરો અને વૈજ્ઞાનિકો સતત કોરોનાની આયોજિત સારવાર અંગે ચેતવણી આપી રહ્યા છે. આ ડોકટરો એમ પણ કહે છે કે આનાથી લોકોની સમસ્યાઓ વધુ જટિલ બની શકે છે.

આ કિસ્સામાં, ભારતીય મેડિકલ એસોસિએશનના રાષ્ટ્રીય અધ્યક્ષ, જે.એ. જયલાલે જણાવ્યું હતું કે ગાયના છાણ અથવા ગૌમૂત્રથી કોરોના સામેના યુદ્ધમાં પ્રતિરક્ષા સુધારી શકાય તેવા કોઈ નક્કર વૈજ્ઞાનિક પુરાવા નથી. તે સંપૂર્ણપણે વિશ્વાસ પર આધારિત છે પરંતુ તે સ્પષ્ટ છે કે આનાથી બાબતો જટિલ બની શકે છે.

તેમણે કહ્યું કે ગાયનું છાણ ખાવાથી પ્રાણીઓથી લઈને મનુષ્યમાં રોગો થવાનું જોખમ વધે છે. આ સિવાય, કોરોના ચેપનું જોખમ પણ નોંધપાત્ર રીતે વધે છે કારણ કે ઘણી વખત ઘણા લોકો ગાયના પેશાબ અને ગોબરની ઉપચાર લેવા માટે ભેગા થાય છે, જેનાથી સામાજિક અંતર વધુ બગડે છે.

ભારતમાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં 2 લાખ 46 હજાર લોકોનાં મોત થયાં છે, ઘણા નિષ્ણાતો પણ માને છે કે આ આંકડો પાંચ ગણા વધારે હોઈ શકે છે. દેશના ઘણા ભાગોમાં લોકો હોસ્પિટલના પલંગ, ઓક્સિજન, વેન્ટિલેટર માટે લડત ચલાવી રહ્યા છે અને ઘણા દેશોએ પણ ભારતને મદદ કરી છે.

થોડા દિવસ પહેલા ઉત્તર પ્રદેશના બલિયામાં બેરિયા વિધાનસભાના ભાજપના ધારાસભ્ય સુરેન્દ્ર સિંહ કેમેરા સામે ગૌમૂત્ર પીતા જોવા મળ્યા હતા. તેમણે લોકોને અપીલ કરી કે ગૌમૂત્રનું સેવન કરવું જોઈએ અને આના દ્વારા કોરોના નિયંત્રણમાં આવી શકે છે. તેણે કહ્યું કે તેમના સ્વાસ્થ્યનું રહસ્ય ગૌમૂત્ર છે.

 

આ પણ વાંચો: પીઝા પાર્ટીમાં રિસેપ્શનિસ્ટને ન બોલાવવું બોસ પડી ગયું મોંઘુ, વળતરમાં ચુકવવા પડ્યા આટલા લાખ રૂપિયા

આ પણ વાંચો: શું Ivermectin દવા ખરેખર કોરોનામાં અસરકારક છે? જાણો WHO એ શું કહ્યું અને રિસર્ચ શું કહે છે

Published On - 3:10 pm, Wed, 12 May 21

Next Article