Breaking News: કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રી જી કિશન રેડ્ડી AIIMSમાં કરાયા દાખલ

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ રેડ્ડીને છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ રાત્રે લગભગ 10.50 વાગ્યે હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.

Breaking News: કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રી જી કિશન રેડ્ડી AIIMSમાં કરાયા દાખલ
breaking news union culture and tourism minister g kishan reddy admitted to aiims hospital
| Updated on: May 01, 2023 | 8:17 AM

કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રી જી કિશન રેડ્ડીને રવિવારે ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)માં દાખલ કરવામાં આવ્યા હતા. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ રેડ્ડીને છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ રાત્રે લગભગ 10.50 વાગ્યે હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.

છાતીમાં દુખાવાની કરી હતી ફરિયાદ

કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડીને છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ AIIMSમાં દાખલ કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રીને છાતીમાં ખેંચાણની ફરિયાદ સાથે રવિવારે રાત્રે 10.50 વાગ્યે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. રેડ્ડીને કાર્ડિયો ન્યુરો સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે. હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું કે કેન્દ્રીય મંત્રીને કાર્ડિયો ન્યુરો સેન્ટરના કાર્ડિયાક કેર યુનિટમાં દાખલ કરવામાં આવ્યા છે. અગાઉના દિવસે, કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રીએ કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો માસિક રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ ભારતની ધરોહર, ઇતિહાસ અને સંસ્કૃતિને ઉજાગર કરે છે.

રેડ્ડી અહીં નેશનલ ગેલેરી ઓફ મોર્ડન આર્ટ (એનજીએમએ) ખાતે રેડિયો કાર્યક્રમના 100મા એપિસોડને ચિહ્નિત કરવા માટે પ્રદર્શન ‘જનશક્તિઃ અ કલેક્ટિવ પાવર’ના ઉદ્ઘાટન સત્રને સંબોધિત કરી રહ્યા હતા.

 

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

Published On - 7:11 am, Mon, 1 May 23