Breaking News: કુખ્યાત ગેંગસ્ટર અનિલ દુજાના એન્કાઉન્ટરમાં ઠાર, 18થી પણ વધુ લોકોની કરી ચૂક્યો છે હત્યા

મેરઠ જિલ્લામાં STF દ્વારા અનિલ દુજાનાની હત્યા કરવામાં આવી છે. UP STF ચીફ IPS અમિતાભ યશ તરફથી આ માહિતી સામે આવી છે. જ્યારે અનિલ દુજાના ગ્રેટર નોઈડાના બાદલપુર ગામનો રહેવાસી હતો.

Breaking News: કુખ્યાત ગેંગસ્ટર અનિલ દુજાના એન્કાઉન્ટરમાં ઠાર, 18થી પણ વધુ લોકોની કરી ચૂક્યો છે હત્યા
breaking news notorious gangster anil dujana killed in encounter
| Updated on: May 04, 2023 | 4:06 PM

પશ્ચિમી ઉત્તર પ્રદેશનો ખતરનાક ગેંગસ્ટર અનિલ દુજાના STF એન્કાઉન્ટરમાં માર્યો ગયો છે. મેરઠ જિલ્લામાં STF દ્વારા અનિલ દુજાનાની હત્યા કરવામાં આવી છે. UP STF ચીફ IPS અમિતાભ યશ તરફથી આ માહિતી સામે આવી છે. જ્યારે અનિલ દુજાના ગ્રેટર નોઈડાના બાદલપુર ગામનો રહેવાસી હતો. જ્યાંનો તે મોટો માફિયા હતો. જણાવી દઈએ કે દુજાના વિરુદ્ધ 62 થી વધુ કેસ નોંધાયેલા છે. જ્યારે દુજાનાની ધરપકડ પર ઉત્તર પ્રદેશ પોલીસે 75 હજાર રૂપિયાનું ઈનામ રાખ્યું હતું.

દુજાના વિરુદ્ધ 62થી વધુ કેસ

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હકીકતમાં, આજે યુપી એસટીએફની શરૂઆત થયાને 25 વર્ષ થઈ ગયા છે. તે જ સમયે, ગેંગસ્ટર અનિલ દુજાના વિરુદ્ધ ખંડણી, લૂંટ, જમીન હડપ અને આર્મ્સ એક્ટ જેવી ગંભીર કલમોમાં 62 કેસ નોંધાયેલા છે, જેમાં 18 હત્યાનો સમાવેશ થાય છે. યુપી પોલીસે તેના પર રાસુકા અને ગેંગસ્ટર એક્ટ પણ લગાવ્યો હતો. તાજેતરમાં જ પોલીસ દ્વારા ગૌતમ બુદ્ધ નગરમાં ગેંગસ્ટરોની યાદી બહાર આવી હતી. તેમાં તેનું નામ પણ સામેલ હતું.

ગેંગસ્ટર સુંદર ભાટી પર હુમલો કરવાનો હતો આરોપ

મળતી માહિતી મુજબ, અનિલ દુજાનાએ જ સુંદર ભાટી પર એકે 47 ફાયરિંગ કરાવ્યું હતું. અનિલ દુજાનાએ તેના સાથીઓ સાથે મળીને સુંદર ભાટી પર તેના સાળાના લગ્નમાં ગાઝિયાબાદના ભોપુરા વિસ્તારમાં એક ફાર્મહાઉસમાં હુમલો કર્યો હતો, જેમાં ગેંગસ્ટર રણદીપે પણ તેને સપોર્ટ કર્યો હતો.

જોકે, આ હુમલામાં સુંદર ભાટી નાસી છૂટ્યો હતો. આ હુમલામાં ત્રણ લોકો માર્યા ગયા હતા. જે બાદ વર્ષ 2014માં સુંદર ભાટી ગેંગે બદલો લેવા અનિલ દુજાનાના ઘર પર હુમલો કર્યો હતો, જેમાં અનિલ દુજાનાના ભાઈ જય ભગવાનનું મોત થયું હતું.

યુપી સરકારે બહાર પાડેલ યાદીમાં હતો સામેલ

ગેંગસ્ટર અનિલ દુજાના UP STF સાથે એન્કાઉન્ટરમાં માર્યો ગયો છે. થોડા દિવસો પહેલા યુપી સરકારની ઓફિસમાંથી યુપીના ટોપ 65 માફિયાઓની યાદી બહાર પાડવામાં આવી હતી. આમાં ગ્રેટર નોઈડાના અનિલ દુજાનાનું નામ પણ સામેલ હતું. કુખ્યાત બદમાશ અનિલ દુજાના લાંબા સમયથી દિલ્હીની તિહાર જેલમાં બંધ હતો, પરંતુ થોડા સમય પહેલા તે જામીન પર બહાર આવ્યો હતો.

જેલમાંથી બહાર આવતા જ અનિલ દુજાનાએ જયચંદ પ્રધાન હત્યા કેસમાં તેની પત્ની અને સાક્ષી સંગીતાને ધમકી આપી હતી. આ પછી ઉચ્ચ અધિકારીઓએ કાર્યવાહી કરી અને છેલ્લા અઠવાડિયામાં અનિલ દુજાના સામે 2 કેસ દાખલ કર્યા. નોઈડા પોલીસની સ્પેશિયલ સેલની ટીમ અને STFની ટીમ દુજાનાને પકડવા માટે રોકાયેલી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે છેલ્લા કેટલાક દિવસો દરમિયાન 7 ટીમો 20 થી વધુ જગ્યાઓ પર સતત દરોડા પાડી રહી હતી.

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

Published On - 3:43 pm, Thu, 4 May 23