
પોતાની જ ગુરુકુળની વિદ્યાર્થિની સાથે યૌન ઉત્પીડનના આરોપમાં જીવનના અંતિમ શ્વાસ સુધી જેલની સજા ભોગવી રહેલા આસારામને આખરે જામીન મળી ગયા. સુપ્રીમ કોર્ટમાં એડવોકેટ વતી ખોટા દસ્તાવેજો રજૂ કરવાના કેસમાં આરોપીને આ જામીન આપવામાં આવ્યા છે.
જોકે, આસારામ અન્ય કેસમાં સજાને કારણે હાલ જેલમાંથી બહાર આવી શકશે નહીં. આ જામીન હાઈકોર્ટના જસ્ટિસ કુલદીપ માથુરની કોર્ટમાંથી મળ્યા છે. એડવોકેટ નીલકમલ બોહરા અને ગોકુલેશ બોહરાએ કોર્ટમાં આસારામનો પક્ષ રજૂ કર્યો હતો. જણાવી દઈએ કે આસારામને રેપ કેસમાં આજીવન કેદની સજા સંભળાવવામાં આવી હતી.
ગાંધીનગર (ગુજરાત)ની એક અદાલતે આ વર્ષે બળાત્કારના કેસમાં આરોપીને આજીવન કેદની સજા ફટકારી હતી. આસારામ વિરુદ્ધ વર્ષ 2013માં બળાત્કારનો કેસ નોંધવામાં આવ્યો હતો. જો કે પીડિતા પર બળાત્કારની ઘટના 2001 થી 2006 વચ્ચે બની હતી. પીડિતાની બહેને પણ આસારામના પુત્ર નારાયણ સાંઈ વિરુદ્ધ બળાત્કારનો કેસ દાખલ કર્યો હતો. આ કેસમાં નારાયણ સાંઈને એપ્રિલ 2019માં આજીવન કેદની સજા સંભળાવવામાં આવી હતી.
આસારામને જે કેસમાં સજા સંભળાવવામાં આવી છે તે કેસમાં 2013માં અમદાવાદના ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી હતી. એફઆઈઆર મુજબ પીડિત મહિલા પર 2001 થી 2006 દરમિયાન અમદાવાદ શહેરની બહારના એક આશ્રમમાં ઘણી વખત બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો.
આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..
Published On - 12:17 pm, Mon, 1 May 23