Andhra Pradesh: વિશાખાપટ્ટનમમાં પ્રવાસીઓ ભરેલી બસ ખીણમાં ખાબકી, 8ના મૃત્યુ

|

Feb 12, 2021 | 11:47 PM

Andhra Pradesh: શુક્રવારે સાંજે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ જિલ્લાના અરકુ ઘાટ માર્ગ પર ટૂરિસ્ટ બસ ખીણમાં ખાબકતા બસમાં સવાર આઠ યાત્રીઓના મોત નીપજ્યાં હતાં

Andhra Pradesh: શુક્રવારે સાંજે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ જિલ્લાના અરકુ ઘાટ માર્ગ પર ટૂરિસ્ટ બસ ખીણમાં ખાબકતા બસમાં સવાર આઠ યાત્રીઓના મોત નીપજ્યાં હતાં અને 10થી વધુ યાત્રીઓ ઘાયલ થયા હતા. પોલીસ દ્વારા આ માહિતી આપવામાં આવી છે કે અરકુ ખીણ તરફ જવાના સાંકડા રસ્તા પર અનંતગીરી ગામ નજીક બસ ડમુકુ વળાંક તરફ જતી હતી, ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. પોલીસ દ્વારા આ માહિતી આપવામાં આવી છે.

 

 

ટૂરિસ્ટ બસ ખીણમાં ખાબકતા વિસ્તારમાં અરેરાટી ફેલાઈ હતી. સમાચારની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને બસમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. આ સાથે જ તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. આ અકસ્માતમાં ઘાયલ લોકોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એક સીનીયર પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે NDRF અને રાજ્યના ફાયર કર્મચારીઓ દ્વારા બચાવ કામગીરી ચાલુ છે.

 

Next Video