Maharashtra : થાણે નજીક સર્જાયેલા અકસ્માતમાં 34 જેટલા મુસાફરો થયા ઘાયલ

|

Oct 10, 2022 | 7:53 AM

એક ખાનગી લકઝરી બસ નાસિકથી મુંબઈ તરફ જઈ રહી હતી, ત્યારે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો

Maharashtra : થાણે નજીક સર્જાયેલા અકસ્માતમાં 34 જેટલા મુસાફરો થયા ઘાયલ

Follow us on

મહારાષ્ટ્રના થાણે જિલ્લાના શાહપુર ખાતે એક ખાનગી લક્ઝરી બસ અજાણ્યા વાહન સાથે ધડાકાભેર અથડાઈ હતી. જેમાં અંદાજે 34 જેટલા મુસાફરો ઘાયલ થયા હતા. પોલીસ દ્વારા આ જાણકારી પ્રાપ્ત થઇ હતી.એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું આ ઘટના રવિવારે વહેલી સવારે બની હતી. એક ખાનગી લકઝરી બસ નાસિકથી મુંબઈ તરફ જઈ રહી હતી, ત્યારે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ખાનગી હોસ્પિટલના ડૉક્ટરોએ જણાવ્યું કે ઘાયલોમાંથી 20 મુસાફરોને માથામાં ઈજા થઈ છે.

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

Published On - 7:52 am, Mon, 10 October 22

Next Article