જામનગરમાં બનશે 2 રેલ્વે ઓવરબ્રીજ અને 1 રેલ્વે અંડરબ્રીજ, મુખ્યપ્રધાને મહાનગરપાલિકાની દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી આપી

|

Oct 04, 2021 | 6:18 PM

મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં આ 2 રેલ્વે ઓવરબ્રીજ અને 1 રેલ્વે અંડરબ્રીજના જનસુવિધા વૃદ્ધિ કામોની ભેટ જામનગર મહાનગરને આપી છે.

JAMNAGAR : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જામનગર મહાનગરમાં 2 રેલ્વે ઓવરબ્રીજ અને 1 રેલ્વે અંડરબ્રીજના નિર્માણ કામો માટે કુલ 100.98 કરોડ રૂપિયાની મહાનગરપાલિકાની દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. આ અંગેની રાજ્ય ફાળાની રકમ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે આપવામાં આવશે.

રાજ્યના નગરો-મહાનગરોમાં રેલ્વે ઓવરબ્રીજ-અંડરબ્રીજના નિર્માણ દ્વારા નાગરિકોને વાહન યાતાયાત અને અવર-જવરમાં સરળતા રહે તેમજ સમય અને ઇંધણની પણ બચત થાય તેવો ઉદાત આશય આવા કામોને મંજૂરી આપવા પાછળ રાખવામાં આવેલો છે.

તદઅનુસાર, મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં આ 2 રેલ્વે ઓવરબ્રીજ અને 1 રેલ્વે અંડરબ્રીજના જનસુવિધા વૃદ્ધિ કામોની ભેટ જામનગર મહાનગરને આપી છે. અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, ફાટકમુકત ગુજરાતની નેમને સાકાર કરતાં રાજ્ય સરકારે અત્યાર સુધીમાં સમગ્ર રાજ્યમાં રેલ્વે ઓવરબ્રીજ-રેલ્વે અંડરબ્રીજના કુલ ર૯ પ્રોજેકટ માટે રૂ. 830 કરોડની રકમની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

ગુજરાતના નગરો-મહાનગરોમાં આવા રેલ્વે ઓવરબ્રીજ-રેલ્વે અંડરબ્રીજના વિવિધ કામો માટે નગરપાલિકાઓ માટે કુલ 78 કરોડ રૂપિયા તેમજ મહાનગરપાલિકાઓ માટે પણ 78 કરોડ રૂપિયા મળી સમગ્રતયા 156 કરોડ રૂપિયાની જોગવાઇ 2020-21ના વર્ષ માટે કરવામાં આવી છે.

આ પણ વાંચો : ભારતમાં ઝડપથી વધી રહ્યો છે વેક્સીનેશનનો ગ્રાફ, આરોગ્ય મંત્રી માંડવિયાએ કહ્યું- દેશના 70 ટકા લોકોને મળ્યો પ્રથમ ડોઝ

આ પણ વાંચો : જામનગર મહિલા સહકારી બેંકના જનરલ મેનેજર તરીકે સૌપ્રથમ વખત મહિલા અધિકારીની નિમણૂંક

Next Video