
જનરલ નોલેજ માત્ર વિદ્યાર્થીઓની જ નહીં પરંતુ દરેક લોકો માટે ઉપયોગી છે, જેનાથી તમે તમારું નોલેજ વધારી શકો છો. જનરલ નોલેજ કૌશલ્યોને પ્રોત્સાહન આપે છે અને જિજ્ઞાસા પણ જગાડે છે. જનરલ નોલેજ બાળકોમાં આત્મવિશ્વાસ સાથે નિર્ણયશક્તિમાં પણ વધારો કરે છે. GK શૈક્ષણિક કામગીરી માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ત્યારે આજે અમે તમારા માટે આવી જ એક જનરલ નોલેજની ક્વિઝ લઈને આવ્યા છીએ. જે તમને તમારા નોલેજમાં વધારો કરવા ઉપયોગી થઈ શકે છે.
પ્રશ્ન – ભગવાન બુદ્ધને ક્યાં જ્ઞાન પ્રાપ્ત થયું?
જવાબ – બોધગયામાં
પ્રશ્ન – આર્ય સમાજની સ્થાપના કોણે કરી હતી?
જવાબ – સ્વામી દયાનંદ
પ્રશ્ન – ઇન્સ્યુલિનનો ઉપયોગ કયા રોગની સારવારમાં થાય છે?
જવાબ – ડાયાબિટીસ
પ્રશ્ન – બિહુ કયા રાજ્યનો પ્રખ્યાત તહેવાર છે?
જવાબ – આસામ
પ્રશ્ન – ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા?
જવાબ – વિલિયમ બેન્ટિક
પ્રશ્ન – ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ શું હતું?
જવાબ – સિદ્ધાર્થ
પ્રશ્ન – ભારતમાં સશસ્ત્ર દળોના સર્વોચ્ચ કમાન્ડર કોણ છે?
જવાબ – રાષ્ટ્રપતિ
પ્રશ્ન – કયા વિટામિનની ઉણપથી રાતાંધળાપણું થાય છે?
જવાબ – વિટામિન એ
પ્રશ્ન – પોંગલ કયા રાજ્યનો તહેવાર છે?
જવાબ – તમિલનાડુ
શહેર અને ગામના નામની પાછળ લાગતા ‘પુર’નો અર્થ શું છે ?
ભારતમાં તમે ઘણા શહેરો અને ગામોના નામ પાછળ ‘પુર’ લખેલું જોયું હશે. ઉદાહરણ તરીકે, જયપુર, ઉદયપુર, રાયપુર, સહારનપુર, નાગપુર, ગોરખપુર, કાનપુર, રામપુર વગેરે. શું તમે જાણો છો કે આ સ્થળોના નામમાં પુર શબ્દનો ઉપયોગ શા માટે કરવામાં આવ્યો છે અને તેનો અર્થ શું થાય છે ?
પ્રાચીન સમયથી શહેરોના નામોમાં પુર ઉમેરવામાં આવે છે. પ્રાચીન સમયમાં, ઘણા રાજાઓ તેમના નામમાં શહેર ઉમેરીને તેનું નામ રાખી લેતા હતા. જેમકે જયપુર શહેર રાજા જયસિંહ દ્વારા બનાવવામાં આવ્યું હતું. તેથી પોતાના નામમાં પુર ઉમેરીને જયપુર નામ રાખ્યું હતું.
આ પણ વાંચો જીકે ક્વિઝ : કયા દેશમાં દારૂ પીવા પર થઈ શકે છે ફાંસીની સજા ?
પુરના અર્થની વાત કરીએ તો ઋગ્વેદમાં પુર શબ્દનો ઉલ્લેખ છે. તે એક પ્રાચીન સંસ્કૃત શબ્દ છે, જેનો અર્થ થાય છે શહેર અથવા કિલ્લો. પ્રાચીન કાળમાં રાજાઓ તેમના પ્રાંત કે શહેરનું નામ રાખવા માટે તેમના નામ અથવા કોઈ વિશેષ વસ્તુના નામ સાથે પુર શબ્દનો ઉપયોગ કરતા હતા.