
શરીરમાં યુરિક એસિડનું વધતું સ્તર એક ખતરનાક સ્થિતિ છે. જો યુરિક એસિડનું સ્તર નિયંત્રિત ન થાય તો ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ વધવા લાગે છે, તેથી શરીરમાં યુરિક એસિડના સ્તરને નિયંત્રિત કરવું જરૂરી છે. યુરિક એસિડ એ આપણા બધાના શરીરમાં ઉત્પન્ન થતું ઝેર છે. યુરિક એસિડનું નિર્માણ કોઈ સમસ્યા નથી, પરંતુ તે શરીરમાંથી બહાર ન આવવાથી સમસ્યા વધી શકે છે. ખોરાકમાં પ્યુરીન યુક્ત ખોરાક વધુ માત્રામાં લેવાથી શરીરમાં યુરિક એસિડનું સ્તર વધે છે.
યુરિક એસિડનું પ્રમાણ વધુ હોવાને કારણે સાંધામાં દુખાવો, સોજો, હાડકામાં દુખાવો, પેશાબ કરવામાં તકલીફ જેવા લક્ષણો દેખાવા લાગે છે. યુરિક એસિડ વધુ હોવાને કારણે ઓસ્ટીયોપોરોસીસ, કીડની રોગ અને મેદસ્વીતાનું જોખમ રહેલું છે.
શરીરમાંથી યુરિક એસિડ દૂર કરવાનું કામ કિડની કરે છે. જ્યારે કિડની આ ઝેરી તત્વોને દૂર કરી શકતી નથી ત્યારે, સાંધામાં અમુક પાર્ટીકલ્સ ક્રિસ્ટલ્સના રૂપમાં એકઠા થવા લાગે છે, જેના કારણે હાઈપર્યુરિસેમિયા નામની સ્થિતિ સર્જાય છે જે સંધિવાનું કારણ બને છે. યુનિવર્સિટી ઓફ રોચેસ્ટર મેડિકલ સેન્ટરના જણાવ્યા અનુસાર જ્યારે યુરિક એસિડ વધારે હોય છે ત્યારે તેના લક્ષણો સાંધા અને હાડકામાં જોવા મળે છે, પરંતુ પેશાબમાં પણ તેના લક્ષણો જોવા મળે છે. આવો જાણીએ કે યુરિક એસિડ વધવા પર શરીર અને પેશાબમાં કયા લક્ષણો જોવા મળે છે અને તેને કેવી રીતે નિયંત્રિત કરવું.
નોંધ :સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.