Health: હળવા મમરાનાં છે ભારે ફાયદા, ખાવાના છે આ 4 આશ્ચર્યજનક ફાયદા

|

Jul 19, 2021 | 8:52 AM

મમરામાંથી તૈયાર કરેલ ભેળપુરી, ચિકી, પૌંઆ ચાટપુરી, લાડુનો ઉપયોગ તો કર્યો જ હશે. પરંતુ શું તમે તેના ફાયદાઓ વિશે જાણો છો? મમરા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે.

Health:  હળવા મમરાનાં છે ભારે ફાયદા, ખાવાના છે આ 4 આશ્ચર્યજનક ફાયદા
મમરા રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં સહાયક છે

Follow us on

Health: પફ્ડ ચોખા, જેને મમરા(puffed rice) પણ કહે છે. મમરા સ્વાસ્થ્ય(Health) માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. તેઓ પાચન(Immune) માટે ખૂબ સારા માનવામાં આવે છે. એટલું જ નહીં, તેમાં જોવા મળતા વિટામિન (vitamins) રોગપ્રતિકારક શક્તિને વધારવામાં મદદગાર પણ માનવામાં આવે છે.

તમે મમરામાંથી તૈયાર કરેલ ભેળપુરી, ચિકી, પૌંઆ ચાટપુરી, લાડુનો ઉપયોગ તો કર્યો જ હશે. પરંતુ શું તમે તેના ફાયદાઓ વિશે જાણો છો? મમરા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. ચાલો અમે તમને જણાવી દઈએ કે પ્રોટીન, એનર્જી, કાર્બોહાઇડ્રેટ, આયર્ન, પોટેશિયમ, નિયાસિન, થાઇમિન અને રાઇબોફ્લેવિન જેવા અન્ય ઘણા પોષક તત્વો તેમાં જોવા મળે છે,

જે શરીરને ઘણી સમસ્યાઓથી બચાવવામાં મદદ કરી શકે છે. તમે મમરાને કોઈપણ સમયે નાસ્તા તરીકે વાપરી શકો છો. તે હળવા અને સ્વસ્થ છે. તે સરળતાથી પચાવી શકાય છે. તે પાચન માટે ખૂબ સારા માનવામાં આવે છે. એટલું જ નહીં, તેમાં જોવા મળતા વિટામિન રોગપ્રતિકારક શક્તિને વધારવામાં મદદગાર પણ માનવામાં આવે છે. તો ચાલો આજે તમને મમરા ખાવાના ફાયદાઓ વિશે જણાવીએ.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

મમરા ખાવાના ફાયદા:

1. ઇમ્યુનિટી: (immunity)
મમરા રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં સહાયક છે. ખરેખર, મમરામાં વિટામિન, ખનિજો અને ફાયટોકેમિકલ્સ ભરપૂર હોય છે, જે ઇમ્યુનિટી ને મજબૂત બનાવવામાં મદદ કરી શકે છે.

2. પાચન: (digestion)
જો તમને પાચનની સમસ્યાથી પરેશાન થાઓ છો, તો પછી મમરાનું સેવન કરો. તેમાં સારી માત્રામાં ફાઇબર સામેલ છે જે પાચક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરી શકે છે.

3. વજન ઓછું કરવું: (weight loss)
જો તમે મેદસ્વીપણાની સમસ્યાથી પરેશાન છો અને વજન ઓછું કરવા માંગો છો, તો આહારમાં મમરાનો સમાવેશ કરો. મમરામાં કેલરીનું પ્રમાણ ખૂબ ઓછું છે, જે વજન ઘટાડવામાં મદદ કરી શકે છે.

4. હાડકાં: (bones)
હાડકાંને મજબૂત બનાવવા માટે મમરા ખાઓ. કેલ્શિયમ અને પોટેશિયમ જેવા પોષક તત્વો મમરામાં પૂરતા પ્રમાણમાં હાજર હોય છે, જે હાડકાંની નબળાઈને અટકાવવામાં મદદ કરી શકે છે.

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

આ પણ વાંચો: અચાનક પૈસાની જરૂર ઉભી થયો તો દેવું વધારવા કરતાં આ વિકલ્પ અપનાવજો , ઉંચા વ્યાજ વિના અનુકૂળરીતે મળશે પૈસા, જાણો વિગતવાર

આ પણ વાંચો: Guru Purnima 2021: 23 જુલાઈએ થશે ગુરુ પૂર્ણિમા, અહી જાણો કે કઈ રીતે કરશો ગુરુની પૂજા ?

Next Article