24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 247 કેસ, એક દર્દીનું મૃત્યુ, 11 જિલ્લામાં એક પણ નવો કેસ નહીં

|

Feb 14, 2021 | 9:45 PM

રાજ્યમાં કોરોનાના કેસ ઘટ્યા બાદ સ્થિતિ સ્થિર જોવા મળી રહી છે. રાજ્યમાં 14 ફેબ્રુઆરી રવિવારના દિવસે છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 247 કેસ સામે આવ્યા છે

રાજ્યમાં કોરોનાના કેસ ઘટ્યા બાદ સ્થિતિ સ્થિર જોવા મળી રહી છે. રાજ્યમાં 14 ફેબ્રુઆરી રવિવારના દિવસે છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 247 કેસ સામે આવ્યા છે, જ્યારે આ સમયગાળામાં કોરોનાથી માત્ર એક દર્દીનું મૃત્યુ થયું છે. આ એક મૃત્યુ અમદાવાદમાં થયું છે.  રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 270 દર્દીઓ કોરોનાથી મુક્ત થયા છે. એક્ટીવ કેસની વાત કરીએ તો હાલ રાજ્યમાં કુલ 1,739 એક્ટીવ કેસ છે.

 

 

આ પણ વાંચો: કચ્છ કસ્ટોડિયલ ડેથ કેસમાં ATSએ વધુ એક પોલીસકર્મીની કરી ધરપકડ

Next Video