ગુજરાત માટે ખુબ મોટા સમાચાર સામે આવ્યા છે. પૂર્વ મુખ્યપ્રધાન માધવસિંહ સોલંકીનું નિધન થયું છે. માધવસિંહ સોલંકી કે જેઓ 4 વખત ગુજરાતના મુખ્યપ્રધાન રહી ચૂક્યા છે. ગુજરાતમાં સૌથી વધુ બેઠકો તેમના નેતૃત્વમાં મળી હતી. કેન્દ્રમાં પણ તેમને ઘણી મોટી જવાબદારીઓ નિભાવી છે. 1976માં પ્રથમ વખત તેઓ મુખ્યપ્રધાન બન્યા હતા.