ધારાસભ્ય કે પ્રધાને વિધાનસભા સંકુલમાં કોઈને મળવા બોલાવવા નહીં, અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ આપ્યો આદેશ

|

Mar 23, 2021 | 7:57 PM

રાજ્યમાં કોરોના વાઈરસ (Corona Virus)ના કેસ સતત વધી રહ્યા છે. જેને ધ્યાનમાં રાખીને રાજ્યના 4 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂ લાગૂ કરવામાં આવ્યું છે.

રાજ્યમાં કોરોના વાઈરસ (Corona Virus)ના કેસ સતત વધી રહ્યા છે. જેને ધ્યાનમાં રાખીને રાજ્યના 4 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂ લાગૂ કરવામાં આવ્યું છે. ત્યારે ગાંધીનગર વિધાનસભામાં પણ કોરોના વાઈરસના કેસોમાં વધારો નોંધાતા વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી (Rajendra Trivedi)એ આદેશ આપ્યો છે કે કોઈ પણ ધારાસભ્ય કે પ્રધાને વિધાનસભા સંકુલમાં કોઈને મળવા બોલાવવા નહીં. જો આજની જ વાત કરવામાં આવે તો અંદાજે 80 જેટલા લોકો અલગ અલગ પ્રધાન કે ધારાસભ્યને મળવા માટે વિધાનસભા આવ્યા હતા.

 

વિધાનસભામાં વધુ 3 ધારાસભ્યો કોરોના વાઈરસથી સંક્રમિત થયા છે. અગાઉ પણ મુખ્યપ્રધાન સહિત ઘણા મંત્રી અને ધારાસભ્યો કોરોના વાઈરસથી સંક્રમિત થઈ ચૂક્યા છે. ત્યારે બહારના મુલાકાતીઓને વિધાનસભા ગૃહમાં ના આવવા માટેનો આદેશ વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ કર્યો છે.

 

દેશમાં અત્યાર સુધી કોરોનાના કુલ 3,45,377 કેસ છે. જેમાંથી 75% સક્રિય કેસ ફક્ત 3 રાજ્યોમાં મહારાષ્ટ્ર, કેરળ અને પંજાબમાં છે. દેશના કુલ સક્રિય કિસ્સાઓમાં મહારાષ્ટ્રનો જ 62.71% હિસ્સો છે. કેરળમાં 7.06% અને પંજાબમાં 5.39% સક્રિય કેસ છે.

 

આ પણ વાંચો: કોરોનાનો ભય : દેશમાં કોરોના ડબલિંગ સમય ગાળો 504 દિવસથી ઘટીને 202 દિવસ થયો

Next Video