Rath Yatra LIVE : 144મી રથયાત્રાને( 144 rath yatra) ગણતરીની મિનિટો જ બાકી છે. મંગળા આરતી બાદ અન્ય વિધિ શરૂ કરવામાં આવી છે. રથયાત્રાને લઈને મંદિર બહાર ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે.
થયાત્રાના 19 કિલોમીટરના રૂટ પર 23 હજાર સુરક્ષા જવાનોનો ખડકલો કરાયો છે. જેમાં 34 એસઆરપીની કંપની, નવ સીઆરપીએફની કંપની, 5 હજાર 900 હોમગાર્ડ તૈનાત છે. તો ચેતક કમાન્ડોના એક યુનિટની સાથે જ 13 બોમ્બ ડિસ્પોઝલ સ્કવૉડ અને 15 ક્યુઆરટી ટીમ તૈનાત કરાઈ છે.
બૉમ્બ સ્કવોડ અને ડોગ સ્કવોડની ટીમે રથયાત્રા રૂટનું ચેકીંગ કર્યું. જેમાં તેઓએ મકાન, દુકાન, ફૂટપાથ,છત, રેલિંગ. અને વાહનો સહિત શંકાસ્પદ લાગતી જગ્યા પર સામાન ખસેડીને તપાસ કરી. જેથી રથયાત્રા દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ન આવે. તેમજ કોઈ ઘટના ન બને અને કોઈ દુર્ઘટના થતા ટાળી શકાય.
Published On - 4:57 am, Mon, 12 July 21