અમદાવાદ ગ્રામ્યના ખેડૂતો માટે સારા સમાચાર, ફતેવાડી અને ખારીકટ કેનાલમાં છોડાશે પાણી

|

Jul 27, 2021 | 2:53 PM

સરકારે આ કેનાલોમાં પાણી છોડવનો નિર્ણય લેતા સાણંદ, ધોળકા અને ધંધુકાના ખેડૂતોને ફાયદો થશે.

અમદાવાદ ગ્રામ્યના ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યાં છે. ગુજરાત સરકારે ફતેવાડી અને ખારીકટ કેનાલમાં પાણી છોડવાનો નિર્ણય લીધો છે. પાણીના અભાવે ડાંગરની ખેતી પ્રભાવિત થઈ રહી હતી. આ કેનાલોમાં પાણી છોડવા અંગે ખેડૂતોએ ગાંધીનગર લોકસભાના સાંસદ તેમજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પણ રજુઆત કરી હતી. સરકારે આ કેનાલોમાં પાણી છોડવનો નિર્ણય લેતા સાણંદ, ધોળકા અને ધંધુકાના ખેડૂતોને ફાયદો થશે.

Published On - 12:32 pm, Tue, 27 July 21

Next Video